લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળશે?
રાજકીય ચાણક્ય પ્રશાંત કિશોરની આગાહીથી ભાજપના પેટમાં તેલ રેડાયું
![Who will get how many seats in Lok Sabha elections?](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Dhiraj-2024-02-24T204252.713.jpg)
નવી દિલ્હી: ભૂતપૂર્વ રાજકીય વ્યૂહરચનાકાર અને જનસુરાજ સંગઠનના સ્થાપક પ્રશાંત કિશોર ઘણા પક્ષો અને નેતાઓને જીત અપાવવા માટે જાણીતા છે. હાલમાં રાજનીતિનું વિશ્લેષણ કરી રહેલા અને બિહારમાં પોતાનું સંગઠન બનાવી રહેલા પ્રશાંત કિશોરે આગાહી કરી છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપનું ભાવિ શું હશે.
કોંગ્રેસને કેટલી બેઠકો?
એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દેશમાં 100નો આંકડો પાર કરી શકશે નહીં. તેમણે એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે રાહુલ ગાંધીની ભારત જોડો અને ભારત ન્યાય યાત્રા પછી પણ કોંગ્રેસની કામગીરીમાં કોઈ મોટો ફેરફાર કે અસર જોવા મળતી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના આંકડામાં બહુ સકારાત્મક ફેરફાર નહીં થાય. જો દેશની રાજનીતિમાં પલટો લાવવો હોય તો કોંગ્રેસને 100થી વધુ બેઠકો મળવી જોઈએ. પરંતુ દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા આ શક્ય નથી, એમ તેમણે જણાવ્યું હતું.
શું ભાજપ ૪૦૦ના આંકડા સુધી પહોંચશે?
બીજી તરફ તેમણે ૪૦૦ પારનો નારો આપી રહેલી ભાજપની સ્થિતિ પર પણ ટિપ્પણી કરી છે. ભાજપે આ ચૂંટણીમાં ૩૭૦-૪૦૦ બેઠકો જીતવાનો સંકલ્પ લીધો છે. પરંતુ ભાજપને આટલી બેઠકો નહીં મળે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન સારું રહેશે. તેમણે બંગાળમાં મમતા બેનર્જીની મોટી ખોટ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
ભાજપે કાર્યકરો માટે ૪૦૦ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ પ્રશાંત કિશોર કહે છે કે આટલી સીટો મેળવવી મુશ્કેલ છે. જો ખરેખર આવું થશે તો દરેકને આઘાત લાગશે. Pkએ એમ પણ કહ્યું છે કે 2014 પછી 8 થી 9 ચૂંટણીમાં ભાજપને જાહેર કરવામાં આવેલા લક્ષ્યાંક જેટલી બેઠકો જીતવામાં સફળતા મળી નથી. ભાજપની વિજયી બેઠકો ૩૭૦ કરતાં પણ ઓછી હશે.