ટોપ ન્યૂઝનેશનલ

મધ્ય પ્રદેશ પોલીસે મંત્રી વિજય શાહ મામલે એસઆઈટીની રચના કરી, 28 મે સુધી આપશે અહેવાલ…

ભોપાલ: ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અંગે મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર સોમવારે સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમની માફી અરજી નામંજૂર કરી દીધી હતી. તેમજ
મધ્ય પ્રદેશના ડીજીપીને આ મામલાની તપાસ માટે ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની એસઆઈટી બનાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્ય પ્રદેશના ડીજીપીએ વિજય શાહ કેસમાં એસઆઈટીની રચના કરી છે. એસઆઈટી 28 મે સુધીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

ત્રણ આઇપીએસ અધિકારીની એસઆઈટીની રચના
મધ્ય પ્રદેશના ડીજીપીએ આ સંદર્ભમાં એસઆઈટીની રચના કરવાનો આદેશ જાહેર કર્યો છે. તેમજ એસઆઈટી રચના કરી છે. જેમાં (1) પ્રમોદ વર્મા, આઈપીએસ, પોલીસ મહાનિરીક્ષક, સાગર ઝોન, સાગર(2) કલ્યાણ ચક્રવર્તી, આઈપીએસ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્પેશિયલ આર્મ્ડ ફોર્સ, પોલીસ મુખ્યાલય, ભોપાલ (3) વાહિની સિંઘ, આઈપીએસ, પોલીસ અધિક્ષક, ડિંડોરી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એસઆઈટી સમગ્ર કેસની તપાસ કરશે અને 28 મે સુધીમાં તેમનો તપાસ અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે. જેની બાદ સુપ્રીમ કોર્ટ આ કેસમાં આગળની કાર્યવાહી કરશે.

Vijay Shah

મંત્રી શાહે બે વાર માફી માંગી
જ્યારે કર્નલ સોફિયા કુરેશી પર આપેલા નિવેદન વિવાદ વકર્યો ત્યારે મંત્રી વિજય શાહે જાહેરમાં બે વાર માફી માંગી હતી. મંત્રીએ કહ્યું કે જો તેમના નિવેદનથી કોઈની લાગણીઓ દુભાય છે. તો તેઓ દિલથી માફી માંગે છે. સોફિયા કુરેશીએ દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવી છે અને તેમનું યોગદાન જાતિ, ધર્મ કે સમુદાયથી પર છે.

આપણ વાંચો : સુપ્રીમ કોર્ટે મંત્રી વિજય શાહની માફી નામંજૂર કરી, તપાસ માટે એસઆઈટીની રચના કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button