વારાણસીમાં Kashi Vishwanath મંદિર પાસે 2 મકાન ધરાશાયી, પાંચ લોકો દટાયા, NDRFની ટીમ સ્થળ પર | મુંબઈ સમાચાર
નેશનલ

વારાણસીમાં Kashi Vishwanath મંદિર પાસે 2 મકાન ધરાશાયી, પાંચ લોકો દટાયા, NDRFની ટીમ સ્થળ પર

વારાણસી : વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ (Kashi Vishwanath)મંદિર પાસે યલો ઝોનમાં મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માત ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખોયા ગલી ચોક પર બન્યો હતો. જેમાં બે મકાનો ધરાશાયી થતાં પાંચથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘરના કાટમાળ નીચે દટાયેલાઓમાં મહિલાઓ પણ સામેલ છે.

મંદિરનો ગેટ નંબર 4 બંધ હતો

વહીવટી અધિકારીઓ અને NDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય ચલાવી રહી છે. અકસ્માત બાદ કાશી વિશ્વનાથ મંદિર તરફ જતો ગેટ નંબર 4 બંધ કરી દેવામાં આવ્યો છે. મંદિરે જતા દર્શનાર્થીઓને ગેટ નંબર એક અને ગેટ નંબર બેમાંથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

70 વર્ષ જૂનું ઘર

મળતી માહિતી મુજબ, ખોઆ ગલી ચોક પર સ્થિત પ્રખ્યાત જવાહિર સાઓ કચોરી વિક્રેતાની ઉપર રાજેશ ગુપ્તા અને મનીષ ગુપ્તાના ઘર આવેલા હતા. બંને ઘર 70 વર્ષ જૂના હોવાનું કહેવાય છે. મોડી રાત્રે બંને મકાનો ધરાશાયી થયા હતા.

બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

સ્થાનિક લોકોએ તાત્કાલિક વહીવટીતંત્રને ઘટનાની જાણ કરી હતી. શેરીમાં પ્રવેશવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ મેદગીન અને ગોદૌલિયાથી મંદિર તરફ જતા ગેટ નંબર ચારથી દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરી દીધો છે. NDRFની ટીમ હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

Also Read –

સંબંધિત લેખો

Back to top button