ઉત્તરાખંડ-નેપાળ સરહદ નજીક ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત 34 ઘાયલ

પિથોરાગઢ : ઉત્તરાખંડ-નેપાળ સરહદ નજીક એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 34 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના લગ્નના જાનૈયાઓને લઈ જતી બસ કાબુ બહાર થતા સર્જાઈ હતી. તેમજ તે 200 મીટર ઊંડી ખીણમાં પડી હોવાનું જાણવા મળ્યું છે.
બસ ઓવરલોડ હતી
આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે સર્જાયો હતો. આ અકસ્માત નેપાળના બૈતાડી જિલ્લાના પુરચૌરી-7 વિસ્તાર નજીક થયો હતો. જે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ઝુલાઘાટ સરહદને અડીને આવેલો છે. આ અંગે મળતી માહિતી મુજબ બસ ઓવરલોડ હતી. તેમજ અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાચો: ગોંડલ પાસે ભયાનક અકસ્માત: પુલ પરથી ખાબકેલી કારમાં આગ લાગતાં 3 લોકો ભડથું
બસ જાનૈયાઓને લઈને બૈતાડીથી બજંગ જઈ રહી હતી
આ બસ જાનૈયાઓને લઈને બૈતાડીથી બજંગ જઈ રહી હતી. જે બસે ગુરુવારે મોડી રાત્રે બૈતાડીના પુરચુની નગરપાલિકાના 7 ભવાન ગામથી સુનકુડા નજીક બડગાંવ વળાંક પર નિયંત્રણ ગુમાવ્યું હતું અને લગભગ 200 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં ઘાયલોને સ્થાનિક લોકોએ બચાવીને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
આ બસ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે દાડેલધુરા હોસ્પિટલમાં 5 લોકોના મોત અને કોટિલા હોસ્પિટલમાં 2 લોકોના મોત થયા. તેમજ બસ ઓવરલોડ હોવાના લીધે ચઢાણ ચડી શકી નહી અને ઊંડી ખીણમાં પડી હતી.



