નેશનલ

આવતીકાલે UPSCની પ્રિલિમ પરીક્ષા: પરીક્ષામાં આટલી ટિપ્સનું ખાસ રાખજો ધ્યાન..

નવી દિલ્હી: દેશની સૌથી અઘરી મનાતી UPSC 2024ની પ્રાથમિક પરીક્ષાનો (prelims exam) 16 જૂનથી પ્રારંભ થઈ રહ્યો છે. પ્રિલીમ્સ પેપર 1 સવારે 9:30થી 11:30 વાગ્યા સુધી એન પ્રિલીમ્સ પેપર 2 બપોરે 2:30 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા દરમિયાન લેવાશે. રવિવારે લગભગ દસ લાખ ઉમેદવારો UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપશે. આ પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા બાદ જ UPSCની મુખ્ય પરીક્ષા આપી શકાશે.

આવતીકાલ રવિવારે યુપીએસસીની પ્રાથમિક પરીક્ષા છે. તો તેના આગળના દિવસે કોઈપણ નવો ટૉપિક વાંચવો ન જોઈએ અને તેની કોઈ સાથે ચર્ચા પણ ન કરવી જોઈએ. આનાથી તમે કન્ફ્યુઝ થઈ જશો અને તેની અસર સીધી તમારી પરીક્ષા પર થઈ શકે છે. યુપીએસસીની પ્રાથમિક પરીક્ષા આપતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખજો કે જેથી તમે પરીક્ષામાં કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વિના જઈ શકો. અહી શેર કરેલી ટિપ્સ તમને કામ આવશે.

Upscની પરીક્ષા આપવા જાવ ત્યારે શું શું સાથે લઈ જશો ?

1- બ્લેક બોલ પેન- UPSC પ્રિલિમ પરીક્ષામાં જવાબો લખવા માટે માત્ર કાળી બોલ પેનનો ઉપયોગ કરો. અન્ય કોઈપણ રંગની શાહીનો ઉપયોગ કરશો નહીં અન્યથા તમારી જવાબની કોપી રિજેક્ટ થઈ શકે છે. તમારી સાથે કેટલીક વધારાની 0.7 બ્લેક બોલ પેન રાખો.

2- એડમિટ કાર્ડ અને આઇડેન્ટિટી કાર્ડ- UPSC પરીક્ષા હોલમાં પ્રવેશ સમયે ઉમેદવારનું એડમિટ કાર્ડ અને માન્ય ઓળખ કાર્ડ ચેક કરવામાં આવે છે. તેથી તેમને સાથે રાખવાનું ભૂલશો નહીં. તમારી સાથે એ જ ID કાર્ડ રાખો જેની માહિતી ઈ-એડમિટ કાર્ડ પર નોંધાયેલ હોય.

3- સાદી ઘડિયાળ- આજકાલ મોટાભાગના લોકો ડિજિટલ અથવા સ્માર્ટ ઘડિયાળો પહેરે છે. પરંતુ તેને પહેરવાની પરવાનગી UPSC પરીક્ષા હોલમાં આપવામાં આવતી નથી. પરીક્ષા દરમિયાન સમય તપાસવા માટે તમે સામાન્ય ઘડિયાળ પહેરી શકો છો.

એક્ઝામના એક દિવસ પહેલા શું તપાસ કરશો ?

UPSC પ્રિલિમ પરીક્ષાના એક દિવસ પહેલા તમામ તૈયારી પૂર્ણ કરી દો અને બીજા દિવસ માટે કંઈપણ છોડશો નહીં. આ બાબત તમને પરીક્ષાના આગલા દિવસે થતાં તણાવથી બચાવશે.

1- આજે એડમિટ કાર્ડ, ઓળખ પત્ર, પેન જેવી વસ્તુઓને પારદર્શક બોક્સમાં રાખો. આનાથી આવતીકાલે કોઈપણ પ્રકારની ઉતાવળથી બચી શકાય છે.

2- આરામદાયક કપડાં પહેરીને UPSC પરીક્ષા કેન્દ્ર પર જાઓ. પરીક્ષા દરમિયાન એવું કંઈપણ પહેરશો નહીં જેનાથી તમને અસ્વસ્થતા થાય અથવા અન્યને શંકા જાય.

3- તમારા પરીક્ષા કેન્દ્રનું સ્થાન અને ત્યાં પહોંચવાનો માર્ગ અગાઉથી જાણો. આ સાથે, તમે પરીક્ષાના દિવસે સમયસર અને કોઈપણ મુશ્કેલી વિના ત્યાં પહોંચી શકશો.

આ દરમિયાન સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો
ઘણા ઉમેદવારો પરીક્ષાના એક દિવસ પહેલા અથવા પરીક્ષાના દિવસે જ બીમાર પડે છે. તેથી, આજે તમારા આહાર અને ઊંઘનું વિશેષ ધ્યાન રાખો.

1- પરીક્ષાની આગલી રાત્રે સંપૂર્ણ ઊંઘ લો. પૂરતી ઊંઘ તમારા મનને તાજગી અને સતર્ક રાખશે. આનાથી તમે પરીક્ષામાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો.

2- પરીક્ષા પહેલા હળવો અને પૌષ્ટિક ખોરાક લો. તેલવાળો કે ભારે ખોરાક ન ખાવો. આથી આપને કારણે ઊંઘ આવી શકે છે અથવા પરીક્ષા દરમિયાન તમને અસ્વસ્થતા અનુભવાય છે.

3- જો આ દરમિયાન તમારી તબિયત સારી ન હોય તો ડૉક્ટરની સલાહ લો અને યોગ્ય દવા લો. આ સમયે સ્વ-સારવાર ટાળવી જોઈએ.

પરીક્ષાના દિવસોમાં શું કરશો?

યુપીએસસીની પ્રિલિમ પરીક્ષાના દિવસે 16 જૂનના રોજ આટલી બાબતોનું ધ્યાન રાખો:

  1. માનસિક શાંતિ – પોતાના સાથી મિત્રો સાથે સંભવિત પ્રશ્નો કે જેના પર તમને શંકા હોય તેની ચર્ચા ના કરવી જોઈએ. તેનાથી ખોટો તણાવ પેદા થઈ શકે છે.
  2. આત્મવિશ્વાસ જાળવી રાખો : પરીક્ષાને લઈને વધુ વિચાર ન કરો. તેનાથી મન હમેશા શાંત રહેશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.
  3. શાંત રહો : જો તમારી સામે કોઈ જ અઘરો પ્રશ્ન આવી જાય છે તો ગભરાઓ નહિ. આગળના પ્રશ્ન પર જાવ અને પોતાના ટાઈમનું મેનેજમેન્ટ કરો.

પરીક્ષા દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ :

UPSC પ્રિલિમ્સ 2024ની પરીક્ષા આપતી વખતે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તે સમયે થોડી ભૂલ પણ તમારું પેપર બગાડી શકે છે.

1- સૂચનાઓને ધ્યાનથી વાંચો- તમારા પ્રશ્નપત્ર અને OMR શીટ પર આપવામાં આવેલી સૂચનાઓને ધ્યાનથી વાંચો. જો તમે વિગતો ભરતી વખતે કોઈ ભૂલ કરો છો, તો તમારે પછીથી પસ્તાવો કરવો પડી શકે છે.

2- સમયનું સંચાલન મહત્વનું છે- પરીક્ષા દરમિયાન સમયનું ખાસ ધ્યાન રાખો. તમને સૌથી વધુ વિશ્વાસ હોય તેવા પ્રશ્નોથી પ્રારંભ કરો. આ સાથે, તમે પરીક્ષા દરમિયાન તમારા સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો.

3- સ્પીડ પર ફોકસ ન કરો- ટાઈમ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે, પરંતુ તમારે નેગેટિવ માર્કિંગ ટાળવા પર પણ ફોકસ કરવું પડશે. તેથી ચોકસાઈને પ્રાધાન્ય આપો.

4- જવાબ પત્રકને બે વાર તપાસો- OMR શીટ ભરતા પહેલા, પ્રશ્ન નંબર અને તમે જે વિકલ્પને ચિહ્નિત કરવા માંગો છો તેને બે વાર તપાસો.

5- પ્રથમ પ્રયાસમાં જ જવાબ આપો- જો તમને કોઈ પ્રશ્ન વિશે ખાતરી હોય તો પ્રથમ પ્રયાસમાં જ તેને ચિહ્નિત કરો. બીજા રાઉન્ડની રાહ જોશો નહીં (જ્યારે નકલમાં સુધારો કરવો).

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker