તિરુપતિ પ્રસાદ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હસ્તક્ષેપની માગણી…

નવી દિલ્હીઃ તિરુપતિ પ્રસાદ વિવાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ સત્યમ સિંહે ચીફ જસ્ટિસને અરજી પત્ર મોકલ્યો છે. અરજીમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટને સંબંધિત મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના રિપોર્ટથી ખળભળાટ, સોશિયલ મીડિયા પર ધમાલ
તિરુમાલા તિરુપતિ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા પ્રસાદમાં પ્રાણીની ચરબીના ઉપયોગ અંગેના તાજેતરના ઘટસ્ફોટના સંદર્ભમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કૃત્ય મૂળભૂત હિંદુ ધાર્મિક રિવાજોનું ઉલ્લંઘન કરે છે અને પ્રસાદને પવિત્ર આશીર્વાદ માનતા અસંખ્ય ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
ભારતીય બંધારણની કલમ ૨૫નું ઉલ્લંઘન કરે છે, જે ધાર્મિક રિવાજોનું પાલન કરવાના અધિકાર સહિત ધર્મની સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આવશ્યક ધાર્મિક પ્રથાઓના રક્ષણના મહત્વ પર ભાર મૂકે છે. આ મંદિરોના સમર્પિત અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ સંચાલનની માંગ કરે છે , આ ઘટના મંદિરના વહીવટમાં મોટી પ્રણાલીગત સમસ્યાઓને પ્રકાશિત કરે છે.
આ પણ વાંચો : તિરુપતિ મંદિરના પ્રસાદ મામલે કેન્દ્ર સરકાર કરશે તપાસ; આસ્થાના મુદ્દે રાજકારણ ગરમાયું
અરજદાર આ કાનૂની કાર્યવાહી દ્વારા હિંદુ ધાર્મિક પ્રથાઓની પવિત્રતાનું રક્ષણ કરવા અને પવિત્ર સંસ્થાઓનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માંગે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અમે રાષ્ટ્રીય અને ધાર્મિક મહત્વના આ મહત્વપૂર્ણ મામલામાં સુપ્રીમ કોર્ટના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.