નેશનલ

લોકસભા ચૂંટણી 2024: મોદી-મોદીના નારા લગાવનારાને થપ્પડ મારવી જોઈએ : કર્ણાટકના મંત્રીએ આવું કેમ કહ્યું?

બેંગલોર: કર્ણાટકના કન્નડ ભાષા અને સાંસ્કૃતિક વિભાગના પ્રધાન અને કોંગ્રેસના નેતા શિવરાજ તંગડાગી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો પર ગુસ્સે છે. રોજગારીનો મુદ્દો ગરમ કરતાં તેમણે કહ્યું કે જે યુવાનો અને વિદ્યાર્થીઓ મોદી-મોદીના નારા લગાવે છે તેમને થપ્પડ મારવી જોઈએ.

આ પણ વાંચો: કોંગ્રેસે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર , જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

રાજ્યના કોપ્પલ જિલ્લાના કરતગીમાં સોમવારે ચૂંટણી પ્રચાર દરમિયાન, રાજ્યના કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. શું તેઓ વચન મુજબ નોકરીઓ આપી શક્યા? જ્યારે જો તમે તેના વિશે પૂછો, તેઓ કહે છે – પકોડા વેચો. તેમને શરમ આવવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી કે યુવક હજુ પણ ‘મોદી-મોદી’ બોલે તો તેમને થપ્પડ મારવી જોઈએ.’

કોંગ્રેસ નેતાના કહેવા પ્રમાણે, ‘પીએમ મોદી છેલ્લા 10 વર્ષથી જૂઠું બોલીને કારભાર ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને લાગે છે કે તેઓ વધુ પાંચ વર્ષ લોકોને મૂર્ખ બનાવી શકે છે. પીએમ મોદીએ ભારતમાં 100 સ્માર્ટ સિટી બનાવવાનું વચન આપ્યું હતું. ‘હું પૂછું છું કે તે સ્માર્ટ શહેરો ક્યાં છે? તમે લોકો તેમાંથી એકનું નામ આપો.’

પીએમ પર પ્રહાર કરતા શિવરાજ એસ તંગડાગીએ આગળ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્માર્ટ છે, સારા કપડાં પહેરે છે અને સારા ભાષણ આપે છે. તે સતત ડ્રેસ બદલતા રહે છે અને પછી તે સ્ટંટ પણ કરે છે. તે સમુદ્રના ઊંડાણમાં જઈને પૂજા કરે છે. શું કોઈ વડા પ્રધાને આ બધું કરવું જોઈએ?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો