નેશનલ

સુપ્રીમ કોર્ટમાં આજે આ ત્રણ મોટા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે…

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે 3 ઓક્ટોબરના રોજ અનેક મહત્વની બાબતોની સુનાવણી થવાની છે. જેમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસથી લઈને ચંદ્રાબાબુ નાયડુની અરજી સુધીના ત્રણ મોટા કેસ સામેલ છે. આજે સુપ્રીમ કોર્ટમાં ત્રણ મોટા કેસની સુનાવણી થશે જે લોકોમાં અને મીડિયામાં ઘણી વાર ડેબિટનો વિષય રહ્યા છે તો ચાલો તમને આ ત્રણ કેસ વિશે થોડી વિગતવાર માહિતી આપું.

આ ત્રણ કેસમાં પ્રથમ કેસ મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ સાથે સંબંધિત છે, જેના સંબંધમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ મામલે શાહી ઇદગાહ કમિટીની અરજી પર સુનાવણી કરશે. ઈદગાહ કમિટી આ કેસ સાથે જોડાયેલા તમામ કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કરી રહી છે. ઈદગાહ કમિટિનું કહેવું છે કે આ સુનાવણી મથુરા કોર્ટમાં થવી જોઈએ.

બીજો મામલો આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની અરજી સાથે સંબંધિત છે, જેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થશે. નાયડુ પર આરોપ છે કે તેમણે તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન 300 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કર્યું હતું. ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. નાયડુની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ શહેરના આરકે ફંક્શન હોલમાં સ્થિત તેમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. નંદ્યાલ રેન્જના ડીઆઈજી રઘુરામી રેડ્ડી અને સીઆઈડીની આગેવાની હેઠળ ભારે પોલીસ દળ તેમની ધરપકડ કરવા પહોંચ્યું હતું.

ત્રીજો કિસ્સો લોકો માટે રામ સેતુના દર્શનને સરળ બનાવવાની માંગ સાથે સંબંધિત છે. આ કેસમાં અરજદારે કહ્યું છે કે સમુદ્રના પાણીમાં વધારો થવાને કારણે રામ સેતુ જોવામાં મુશ્કેલી પડી રહી છે. જો બંને બાજુ થોડા અંતર સુધી દિવાલ બનાવવામાં આવે તો રામ સેતુ સરળતાથી દેખાઈ શકે છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દિવાલ બન્યા બાદ વિશ્વભરના લોકો બ્રિજને જોવા માટે ધનુષકોટી જઈ શકશે. આ અરજી હિન્દુ પર્સનલ લો બોર્ડના પ્રમુખ અશોક પાંડેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…