નેશનલ

દેશના આ રેલવે સ્ટેશનની વિશેષતા જાણો છો?


ઈસરોએ મોકલેલા ચંદ્રયાનની ઘટનાએ ભારતની વૈજ્ઞાનિક તાકાતનો પરિચય તો કરાવ્યો પણ સાથે જ ફરી નારીશક્તિનો પરચો પણ દેખાડ્યો. જોકે મહિલાઓની ક્ષમતા અને પ્રતીભાઓની પ્રતીતિ આપણને સતત થતી જ રહે છે. આવી જ પ્રતિતી કરાવે છે દેશના આ પાંચ રેલવે સ્ટેશન.


ભારતના કેટલાક રેલવે સ્ટેશન તેની આગવી ઓળખ ધરાવે છે. જે બીજા કરતા કાંઈક વિશેષ છે. પરંતુ આજે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે સ્ટેશન મહિલાઓ દ્વારા સંચાલિત છે.
ભારતમાં એવા કેટલાય રેલવે સ્ટેશન છે જેને મહિલાઓ ચલાવી રહી છે. આ ઉપરાંત ત્યા સફાઈ કામદારથી લઈને સ્ટેશન માસ્તર તરીકે મહિલાઓ કામ કરી રહી છે.


જયપુરના ગાંધીનગર ખાતે વર્ષ 2018માં ભારતનું એવું પહેલું રેલવે સ્ટેશન બન્યું હતું કે જ્યા દરેક જગ્યા પર મહિલાઓ કામ કરે છે. સ્ટેશન પર દરરોજ 7000 લોકો આવે છે.
મુંબઈનું માટુંગામાં આવેલું રેલવે સ્ટેશન પણ મહિલાઓ દ્વારા સંચાલિત છે.


મહારાષ્ટ્રના નાગપુર અને અજની રેલવે સ્ટેશનની વચ્ચે આવેલુ આ સ્ટેશનની વચ્ચે માત્ર 3 કિલોમીટરનું અંતર છે. અહી પણ માત્ર મહિલાઓ જ કામ કરે છે. જેને અજની રેલવે સ્ટેશન કહેવામાં આવે છે.
આંધ્રપ્રદેશના ચંદ્રગિરિ રેલવે સ્ટેશન આવેલું છે. આ સ્ટેશનમા પણ સફાઈ કામદારથી સ્ટેશન માસ્તર સુધી દરેક જગ્યા પર મહિલાઓ કામ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button