નેશનલ

‘તો પછી દાઉદ ઈબ્રાહિમ પણ ચૂંટણી પ્રચાર કરશે…’, દિલ્હી હાઈકોર્ટે અરજદારને કેમ ખખડાવ્યા? જાણો

નવી દિલ્હી: લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 જેલમાં કેદ વ્યક્તિને પણ ચૂંટણી લડવા છૂટ આપે છે. હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે એવામાં દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈ કોર્ટ(Delhi Highcourt)માં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે જેલમાં બંધ નેતાઓને વર્ચ્યુઅલ મોડમાં ચૂંટણી માટે પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવે અને ચૂંટણી પંચને આ માટે એક મિકેનિઝમ બનાવવા માટે સૂચના આપવામાં આવે. જો કે, કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને અરજદાર પર દંડ ફટકારવાની ચેતવણી પણ આપી હતી. કોર્ટે કહ્યું કે આ સંપૂર્ણપણે મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહનની આગેવાળી હેઠળની બેંચે આવી અરજી દાખલ કરવા બદલ અરજદારને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે તમે અમારી પાસેથી કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છો. તમે ઈચ્છો છો કે ધરપકડ કરાયેલા લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રચાર કરવાની છૂટ આપવામાં આવે? જો આમ કરવામાં આવશે તો તમામ ગુનેગારો રાજકીય પક્ષો બનાવશે. જો દાઉદ ઈબ્રાહિમ ચૂંટણી લડશે એ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રચાર કરશે?

કોર્ટે કહ્યું કે આવી અરજી દાખલ કરવા બદલ અરજદાર પર દંડ લાદવામાં આવશે. જોકે, અરજદારના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે અરજદાર કાયદાનો વિદ્યાર્થી હોવાથી તેને માફ કરવામાં આવે. આ પછી, બેન્ચે કહ્યું કે જે વિદ્યાર્થીએ અરજી દાખલ કરી છે તેને સત્તાના વિભાજન અને ન્યાયિક શક્તિઓની મર્યાદાઓ વિશે યોગ્ય રીતે સમજાવવું જોઈએ.

કાયદાના વિદ્યાર્થી અમરજીત ગુપ્તાએ આ અરજી દાખલ કરી હતી. આમાં, તેમણે કોર્ટ પાસે માંગ કરી હતી કે ચૂંટણી પંચને એવી વ્યવસ્થા લાવવા માટે નિર્દેશ આપવામાં આવે કે ધરપકડ કરાયેલા નેતાઓ, જેઓ દોષિત નથી પરંતુ જેલમાં છે, તેઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રચાર કરવાની મંજૂરી આપે.

અરજદારે દલીલ કરી હતી કે આગામી લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ રાજકીય નેતાઓની ધરપકડ થવાથી તેઓ ખૂબ જ પરેશાન છે. તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદની લોકસભા ચૂંટણી પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પોતાની પાર્ટી માટે પ્રચાર કરી શકતા નથી અને દિલ્હીના લોકોને તેમની પાર્ટીના ચૂંટણી પ્રચારની માહિતી આપી શકતા નથી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker