શૅરબજાર ઇતિહાસમાં પહેલી વખત શનિવારે ચાલુ રહેશે | મુંબઈ સમાચાર
નેશનલ

શૅરબજાર ઇતિહાસમાં પહેલી વખત શનિવારે ચાલુ રહેશે

સોમવારે ઇક્વિટી બજારો બંધ રહેશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બીએસઇ અને એનએસઇએ આજે શનિવારે કામકાજ ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ, સરકારે બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી નાણાં બજાર સવારના નવ વાગ્યાને સ્થાને બપોરે ૨.૩૦ વાગે ખૂલશે. દરમિયાન, સ્ટોક એક્સચેન્જિસ, ક્લિઅરિંગ કોર્પોરેશન, ડિપોઝિટરીઝ અને બ્રોકર્સ એસોસિયેશન્સ વચ્ચેની મોડી રાતની બેઠક અને વિચારવિમર્શને આધારે સોમવારે શેરબજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શેરબજારના ટ્રેડિંગ સેશનમાં સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સાઈટનું ટ્રાયલ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં, માર્કેટ અને રોકાણકારો વચ્ચે સ્થિરતા જાળવી કોઇપણ અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે.

શનિવારે મોક ટ્રેડિંગ અનેકવાર થાય છે, પરંતુ એક્સચેન્જે જણાવ્યું છે કે, ૨૦મી જાન્યુઆરીએ રોકાણકારો તેમાં ટ્રેડિંગ પણ કરી શકશે. એનએસઈના સર્ક્યુલર મુજબ શનિવારે બે ખાસ સત્ર યોજાશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button