રામ મંદિર પરિસર ‘આત્મનિર્ભર’ હશે | મુંબઈ સમાચાર
નેશનલ

રામ મંદિર પરિસર ‘આત્મનિર્ભર’ હશે

અયોધ્યા: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર સંકુલ ગટર અને પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ સાથે તેની પોતાની રીતે ‘આત્મનિર્ભર’ હશે, અને તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની સુવિધાઓ પણ હશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંગળવારે અયોધ્યામાં ટ્રસ્ટના કાર્યાલયમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં ભવ્ય સંકુલની લેન્ડસ્કેપ યોજના શેર કરતા જણાવ્યું હતું કે આગામી મંદિર સંકુલના ૭૦ એકરમાંથી ૭૦ ટકા વિસ્તાર હરિયાળો હશે. સંકુલ તેની રીતે ‘આત્મનિર્ભર’ હશે કારણ કે તેમાં બે એસ્ટીપી, એક ડબલ્યુટીપી અને પાવર હાઉસની એક સમર્પિત લાઇન હશે. મંદિર સંકુલમાં ફાયર બ્રિગેડની ચોકી પણ હશે, જે ભૂગર્ભ જળાશયમાંથી પાણી મેળવી શકશે. પત્રકારોના જૂથ સાથે લેન્ડસ્કેપ પ્લાન શેર કરતા રાયે જણાવ્યું હતું કે ભવ્ય મંદિરમાં ૩૯૨ સ્તંભો હશે, ૧૪ ફૂટ પહોળી ‘પેરકોટા’ પરિઘ હશે જે ૭૩૨ મીટર સુધી ફેલાયેલી હશે. રામ મંદિર સંકુલમાં વૃદ્ધો, દિવ્યાંગ મુલાકાતીઓની સુવિધા માટે લિફ્ટની સુવિધા અને પ્રવેશદ્વાર પર બે રેમ્પ હશે. રાયે એમ પણ કહ્યું કે અયોધ્યામાં કુબેર ટીલા પર જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button