નેશનલ

આ પીઢ અભિનેત્રી વિરુદ્ધ કોર્ટે જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ…

અલાહાબાદ: પીઢ અભિનેત્રી અને રામપુરની પૂર્વ સાંસદ જયાપ્રદા વિરુદ્ધ NBW વોરંટ એટલે કે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદા વિરુદ્ધ આચારસંહિતાનો ભંગ કરવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો. આ મોમલો ઘણા સમયથી રામપુરની MPMLA કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસ કોર્ટમાં ચાલતો હતો પરંતુ જયાપ્રદા પાછલી ઘણી તારીખોથી કોર્ટમાં હાજર રહેતા નહોતા જેને ધ્યાનમાં રાખીને કોર્ટે જયાપ્રદા વિરુદ્ધ NBW વોરંટ જારી કર્યું હતું.

NBW વોરંટ જારી થયા બાદ કોર્ટે જયાપ્રદાને કોર્ટમાં હાજર થવા માટે 8મી નવેમ્બરની તારીખ આપી હતી પરંતુ 8મી નવેમ્બરે પણ જયાપ્રદા કોર્ટમાં હાજર થઈ ન હતી. જેના કારણે કોર્ટે 17મી નવેમ્બરની તારીખ આપી અને NBW વોરંટ પણ ચાલુ રાખવામાં આવ્યું. કોર્ટે પૂર્વ સાંસદ જયાપ્રદાને 17મી નવેમ્બરે રામપુર કોર્ટમાં હાજર થવા માટે કડક આદેશ આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે અભિનેત્રી અહીં આવે છે કે નહીં.

આ વિષય પર પ્રોસિક્યુશન ઓફિસરે જણાવ્યું હતું કે વર્ષ 2019માં પોલીસ સ્ટેશનમાં એનસીઆર નંબર 59/19 કલમ 127A ચૂંટણી આચાર સંહિતા ભંગ અંગે જયાપ્રદા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેનો ફાઇલમાં ઉલ્લેખ છે, માનનીય કોર્ટેની પણ જયાપ્રદાએ અવગણના કરી અને કોર્ટમાં હાજર થયા નહોતા. જોકે આ અંગે હજુ સુધી જયાપ્રદા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress