‘આખો પરિવાર ઢોંગ કરી રહ્યો છે!’ લાલુ પરિવાર પર તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યાના ગંભીર આરોપ

પટના: આ વર્ષે ઓકટોબર કે નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. એ પહેલા રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના પરિવાર(Lalu family)માં ઉથલપાથલ મચેલી છે. લાલુ પ્રસાદના મોટા દીકરા તેજ પ્રતાપે 12 વર્ષથી અનુષ્કા નામની યુવતી સાથે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરતા ખળભળાટ (Tej Pratap Relationship controversy) મચી ગયો છે. લાલુ પ્રસાદે તેજ પ્રતાપને પાર્ટી અને પરિવાર માંથી હાંકી કાઢ્યા છે. એવામાં તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાય(Aishwarya Rai)એ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમને લાલુ પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે આખો પરિવાર સાથે મળીને ડ્રામા કરી રહ્યો છે. ઐશ્વર્યાએ તેના સસરા લાલુ પ્રસાદ, સાસુ રાબડી દેવી અને દિયર તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યા.
આ પણ વાંચો: RJDમાં ઉથલપાથલ: લાલુ પ્રસાદ યાદવે મોટા દીકરાને પક્ષ-પરિવારમાંથી કરી હકાલપટ્ટી
‘મને માર માવામાં આવ્યો ત્યારે….’
ઐશ્વર્યાએ કહ્યું, “આ બધા લોકો સંડોવાયેલા છે. આખો પરિવાર ડ્રામા કરી રહ્યો છે. આ બધા લોકો મળેલા છે. ગઈકાલે રાત્રે પણ મળ્યા હશે. તેણે કહ્યું હશે કે બધું શાંત થઈ જશે. આ બધું ચૂંટણીને કારણે થઈ રહ્યું છે. અમને બધી માહિતી મીડિયા પાસેથી મળી. મને કંઈ ખબર ન હતી, નહીંતર હું વહેલા તમારી સમક્ષ આવી હોત. તેમને પૂછો કે જ્યારે મને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તેમનો સામાજિક ન્યાય ક્યાં ગયો? તેમને પૂછો કે મારું શું થશે?”
‘આ બધા મળેલા છે’
ઐશ્વર્યા રાયે કહ્યું કે ટ્વિટર પર ચાર લાઇન લખીને શું થશે. આ લોકો ક્યારેય અલગ ન હોઈ શકે. ગઈકાલે સાંજે રાબડી દેવી તેમની પાસે ગયા હશે, તેમના આંસુ લૂછ્યા હશે અને કહ્યું હશે કે થોડા દિવસ શાંત રહો, અમે બધું બરાબર કરી દઈશું. તેજસ્વી યાદવ તેમના ભાઈ સાથે છે. કોર્ટે તેને ઘરેલુ હિંસાનો દોષી ઠેરવ્યો છે પરંતુ તેના અહેવાલ કોઈપણ મીડિયામાં પ્રકાશિત કરવાની મંજૂરી નથી. મને માર મારવામાં આવ્યો અને મારું ખાવાનું બંધ કરી દેવામાં આવ્યું પણ લાલુજી કંઈ બોલ્યા નહીં.
આ પણ વાંચો: તેજ પ્રતાપની હકાલપટ્ટી પછી તેજસ્વી યાદવે આપ્યું મોટું નિવેદન, પરિવાર સામે કરશે બળવો?
‘બધાને પહેલાથી જ ખબર હતી.’
જ્યારે એશ્વર્યાને તેજ પ્રતાપ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કહ્યું, “આપણે તેના વિશે પછી વાત કરીશું. તમે સાત વર્ષથી જોઈ રહ્યા છો. જ્યારે તેજે આ 12 વર્ષના સંબંધનો સ્વીકાર કર્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે બધાને તેના વિશે પહેલાથી જ ખબર હશે અને છતાં તેમણે મારા લગ્ન કરાવી દીધા. પોતાના દીકરાની ભૂલ છુપાવવા માટે, આ લોકોએ મારા ચારિત્ર્ય પર આંગળી ચીંધી.”
તેણે કહ્યું, “તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત માત્ર એક ઢોંગ છે. તેમને એ વાતની ચિંતા નથી કે તેમના દીકરાએ કેટલા લગ્ન કર્યા છે. પરંતુ, ચૂંટણી પહેલા આ મામલો બહાર આવ્યો હોવાથી, કાર્યવાહીનું નાટક કરવામાં આવી રહ્યું છે. લાલુ જી, રાબડી જી, તેજસ્વી, દરેકને આ પહેલેથી જ ખબર હશે. મારો ન્યાય ક્યાં ગયો? અમે પહેલેથી જ લડી રહ્યા છીએ. આગળ પણ લડીશું.’