નેશનલ

પતિની ધરપકડથી સુનીતા કેજરીવાલ આગબબુલાઃ કહ્યું કે ભગવાન કરે ને…

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને પહેલા EDએ તેમની ધરપકડ કરી હતી અને હવે CBIએ પણ તેમની ધરપકડ કરી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. પોતાના પતિની મુશ્કેલીઓ વધતી જોઈને સીએમની પત્ની સુનીતા કેજરીવાલ ગુસ્સે થઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં તેમણે સરમુખત્યાર (PM Modi) ના મૃત્યુ માટે પ્રાર્થના પણ કરી હતી.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક્સ પરની એક પોસ્ટમાં આક્રમકતા દર્શાવી હતી. તેમણે લખ્યું હતું કે, “અત્યાર સુધી મારી પ્રાર્થના હંમેશા રહી છે કે ભગવાન દરેકને બુદ્ધિ આપે. પરંતુ હવે હું પ્રાર્થના કરું છું કે સરમુખત્યારનો નાશ થવો જોઈએ. સુનીતા કેજરીવાલે કહ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુનીતા કેજરીવાલે બીજી પોસ્ટ લખીને કેજરીવાલની ધરપકડ પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે અરવિંદ કેજરીવાલને 20 જૂને જામીન મળી ગયા હતા. EDએ તરત સ્ટે મેળવ્યો. બીજા દિવસે સીબીઆઈએ તેમને આરોપી બનાવ્યા અને આજે ધરપકડ કરી. વ્યક્તિ જેલમાંથી બહાર ન આવે તે માટે સમગ્ર તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ કાયદો નથી. આ સરમુખત્યારશાહી છે, આ ‘ઇમરજન્સી’ છે.

કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા છે. જેના કારણે સીબીઆઈની ટીમ કેજરીવાલની 29 જૂન સુધી દારૂની નીતિ સાથે જોડાયેલા સવાલો પર પૂછપરછ કરશે. તપાસ એજન્સીનું કહેવું છે કે અત્યાર સુધી કેજરીવાલ તેમના પર લાગેલા આરોપોને ટાળી રહ્યા હતા. કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરતી વખતે સીબીઆઈએ કહ્યું હતું કે તેઓ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને સામસામે બેસાડીને પૂછપરછ કરવા માંગે છે. સીબીઆઈએ દાવો કર્યો હતો કે તપાસ ચાલુ છે અને જુલાઈ સુધીમાં પૂરી થઈ જશે.

નોંધનીય છે કે સીબીઆઈએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે કેજરીવાલે આ કેસનો તમામ દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે, પરંતુ કેજરીવાલે કોર્ટમાં કહ્યું હતું કે તેમણે સિસોદિયા પર આરોપ નાખ્યા જ નથી અને મીડિયા તેમના વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવી રહ્યું છે. દરમિયાન, કેજરીવાલના વકીલની દલીલ પછી કોર્ટે કેજરીવાલ માટે ઘરનું ભોજન અને આવશ્યક દવાઓની મંજૂરી આપી છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો