RSS ના વડા મોહન ભાગવતે જણાવ્યું કેમ નથી વડાપ્રધાન કે અન્ય કોઇ મહત્વના પદ પર | મુંબઈ સમાચાર

RSS ના વડા મોહન ભાગવતે જણાવ્યું કેમ નથી વડાપ્રધાન કે અન્ય કોઇ મહત્વના પદ પર

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના(RSS)વડા મોહન ભાગવત અવારનવાર દેશના મહત્વના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. ભાગવતે તાજેતરમાં ઉત્તર પ્રદેશના અમરોહામાં શ્રી દયાનંદ ગુરુકુલ મહાવિદ્યાલયની નવી ઇમારતના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન કોલેજના એક વિદ્યાર્થીએ મોહન ભાગવતને પૂછ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે કે અન્ય કોઈ મહત્વના પદ પર કેમ નથી બેઠા? આ સવાલ પર મોહન ભાગવતે આપેલા જવાબની ચર્ચા થઈ રહી છે.

મોહન ભાગવતે શું કહ્યું?

વિદ્યાર્થીએ સંઘના વડા મોહન ભાગવતને પૂછ્યું કે તમે દેશના વડાપ્રધાન કે અન્ય કોઈ મહત્વના પદ પર રહી શક્યા હોત, તો પછી તમે આવું કેમ ન કર્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે અહીં તેમના જેવા સ્વયં સેવકો બેઠા છે. બધા એવા જ છે. ભાગવતે કહ્યું કે અમે અહીં કંઈ બનવા માટે નથી આવ્યા. દેશ માટે કામ કરવા આવ્યા છીએ અને કહીએ છીએ “તારી કીર્તિ અમર રહે મા, અમે ચાર દિવસ જીવીએ કે ન જીવીએ. “

સંઘનો આદેશ સર્વોચ્ચ છે- મોહન ભાગવત

સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે જો તમે કોઈ સ્વયંસેવકને અંગત રીતે પૂછશો તો તે શાખા ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરશે. સંઘનો આદેશ સર્વોચ્ચ છે. અમે અહીં સંઘમાં પોતાની જાતને ઘસી નાખવા આવ્યા છીએ. નહિંતર વ્યક્તિ ઘર છોડી શકશે નહીં. અમે વિચાર્યું કે આપણું વ્યક્તિત્વ શું છે, ચાલો એક દેશ બનીએ, તેમાં સંપૂર્ણ સુમેળથી કામ કરીએ, તેમાં ભળી જઈએ. તેથી, અમે આ વિચારના દરવાજા પહેલાથી જ બંધ કરી દીધા છે.

આ પણ વાંચો :આરએસએસ વડા મોહન ભાગવત પહોંચ્યા મુકેશ અંબાણીના નિવાસસ્થાને ! શું છે કારણ ?

અમે વ્યક્તિ તરીકે કંઈ નથી : મોહન ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે સંઘ કહે છે આ કરો, તે કરો, તે કરે છે. ન તો અમારી ઈચ્છા છે, ન અમારી આકાંક્ષા. સંઘ જેમ રાખે છે તેમ જીવીએ છીએ. તેથી જ અમે આજુ- બાજુ જોતા નથી. સંઘે અમને કહ્યું કે અમે તે કરીશું, પરંતુ અમને કહ્યું નથી કે અમે તે નહીં કરીએ.. મોહન ભાગવતે કહ્યું કે અમે વ્યક્તિ તરીકે કંઈ નથી. અમે બધું છોડી દીધું છે. અમારું ચાલે તો અમે નામ અને રૂપ પણ છોડી દઈએ. પરંતુ તેની અમને મંજૂરી નથી.

Back to top button