ટોપ ન્યૂઝનેશનલ

વેદાંતાને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો , તમિલનાડુના તુતીકોરીનમાં કોપર સ્ટરલાઇટ પ્લાન્ટ નહીં ખુલે

સુપ્રીમ કોર્ટે 29 ફેબ્રુઆરીએ તમિલનાડુ સ્થિત કંપનીના સ્ટરલાઇટ કોપર સ્મેલ્ટર પ્લાન્ટને ફરીથી ખોલવાની માંગ કરતી વેદાંતાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ પ્લાન્ટ દ્વારા પર્યાવરણીય નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં વાયુ અને જળ પ્રદૂષણના કાયદાનું ભારે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવી મહત્વપૂર્ણ છે અને આ પ્લાન્ટને બંધ કરવાનો હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલામાં હસ્તક્ષેપ કરવા તૈયાર નથી. પ્લાન્ટ બંધ કરવાના તમિલનાડુ સરકારના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ પ્લાન્ટને બંધ કરવા સામે વેદાંતા ગ્રુપની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયમાં કોઈ ભૂલ નથી. બેન્ચે કહ્યું હતું કે આ વિસ્તારના રહેવાસીઓનું સ્વાસ્થ્ય ગંભીર ચિંતાનો વિષય છે.


તેમની ચિંતાઓને દૂર કરવા અને રક્ષણ પૂરું પાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે. નોંધનીય છે કે તમિલનાડુ સરકારના નિર્ણયને કંપનીએ અગાઉ મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકારની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો હતો. વેદાંતાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મે 2018 માં, તમિલનાડુ સરકારે સ્થાનિક લોકોના વિરોધને કારણે અને પર્યાવરણીય ચિંતાઓને કારણે વેદાંતાના કોપર સ્મેલ્ટર પ્લાન્ટને કાયમી ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ પ્લાન્ટ સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે આ ફેક્ટરી ગંભીર પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર પડી છે અને લોકોને બીમારીઓ થઇ રહી છે. પ્લાન્ટ સામે વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીમાં 13 લોકોના મોત બાદ મે 2018થી પ્લાન્ટ બંધ છે. વેદાંતાના વકીલ શ્યામ દીવાને દલીલ કરી હતી કે આ પ્લાન્ટને 2007માં પર્યાવરણીય મંજૂરી મળી હતી. ત્યારે કોઈએ તેને પડકાર પણ નહોતો આપ્યો.

ખંડપીઠે કહ્યું હતું કે અમે સામાન્ય લોકોના સ્વાસ્થ્યને લગતી વ્યાપક ચિંતાઓથી વાકેફ છીએ. અમારે એ પણ જોવાનું છે કે ફેક્ટરી ખોલવાથી લોકોના સ્વાસ્થ્ય પર શું અસર પડશે. એ બધા લોકો અહીં આવી શકતા નથી. પરંતુ અમે તેમની ચિંતાઓ અને પડકારોથી બેધ્યાન રહી શકતા નથી. તમે આજથી જ કામ શરૂ કરો એવો નિર્દેશ અમે આપી શકીએ તેમ નથી, તમારે પરંતુ એ સુનિશ્ચિત કરવું પડશે કે એક નિષ્ણાત પેનલ તમારી સમક્ષ શરતો મૂકે કે જાહેર આરોગ્ય માટે જોખમી એવા આ ઉદ્યોગને કેવી રીતે શરૂ કરી શકાય. તમે ચોક્કસ રકમ જમા કરો જેથી કરીને તમે પર્યાવરણ સુરક્ષાના પગલાંની ખાતરી કરી શકો.


ખંડપીઠે જણાવ્યું હતું કે તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન અને પર્યાવરણ મંત્રાલય, NEERI, વેદાંત સહિતના નિષ્ણાતોની સમિતિ બનાવવા માટે વિચારણા કરવી જોઈએ અને સુપ્રીમ કોર્ટના કોઈપણ નિવૃત્ત ન્યાયાધીશ સમિતિનું નેતૃત્વ કરી શકે છે. વેદાંતા કોપર સ્મેલ્ટર પ્લાન્ટને વધારાના અને પર્યાવરણીય સલામતી સાથે ફરીથી શરૂ કરી શકે છે કે કેમ તે અંગે સમિતિ એક મહિનામાં અહેવાલ સુપરત કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…