રાજ્યમાં વરસાદ અને કૃષિની સ્થિતિની સમીક્ષા’ 41 તાલુકાઓમાં વરસાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સોમવારે સાંજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા, કાર્યકારી મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં.
મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે શ્રીમતિ સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી. તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું. રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં બે મિલિમીટર થી લઇને 38 મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે. પવનને કારણે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી હતી
ALSO READ:ગુજરાતમાં માવઠાનો માર : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી; આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ