નેશનલ

શ્રીલંકાની આડોડાઈઃ લંકન નૌકાદળે આટલા ભારતીય માછીમારની ધરપકડ કરી

કોલંબોઃ શ્રીલંકાના નૌકાદળે દેશના પ્રાદેશિક જળમાં શિકાર કરવાના આરોપસર વધુ ૨૧ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. નેવીના જણાવ્યા અનુસાર માછીમારોની શનિવારે ડેલ્ફ્ટના જાફના ટાપુ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કંકેસંથુરાઇ બંદરે લઇ જવામાં આવ્યા હતા. તેમની બે હોડી પણ નેવીએ જપ્ત કરી હતી.

શ્રીલંકાના નૌકાદળે શુક્રવારે ઉત્તરી જાફના ટાપુના કરાઇનગરના દરિયાકાંઠેથી ૧૫ ભારતીય માછીમારોની અટકાયત કર્યાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકા દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૪૬ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં માછીમારોનો મુદ્દો વિવાદાસ્પદ છે. જેમાં લંકાના નૌકાદળના કર્મચારીઓએ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર પણ કર્યો હતો અને શ્રીલંકાના પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક બનાવોમાં તેમની બોટ જપ્ત કરી હતી. તામિલનાડુને શ્રીલંકાથી અલગ કરતી પાણીની સાંકડી પટ્ટી, પાલ્ક સ્ટ્રેટ બન્ને દેશોના માછીમારો માટે સમૃદ્ધ માછીમારીનું મેદાન છે.

શ્રી લંકાના સત્તાવાળાઓ દ્વારા કથિત રીતે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા રેખા પાર કરવા અને શ્રી લંકાની જળસીમામાં માછીમારી કરવા બદલ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હોવાના સમયાંતરે કિસ્સાઓ બન્યા છે. વર્ષ ૨૦૨૩માં ટાપુ રાષ્ટ્રના નૌકાદળે શ્રીલંકાની જળસીમામાં શિકાર કરવા બદલ ૩૫ હોડી સાથે ૨૪૦ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker