રાજા રઘુવંશીની હત્યા કેસમાં મોટો ખુલાસો, હત્યા બાદ સોનમ સિલિગુડી થઈને ઇન્દોર પહોંચી હતી

શિલોંગ: મેઘાલયમાં ઈન્દોર નિવાસી રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમ રાજવંશી મુખ્ય ગુનેગાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમજ આ કેસમાં અનેક નવા ખુલાસા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ રાજા રઘુવંશીની હત્યા બાદ સોનમ હત્યા સ્થળથી 10 કિમી દૂર ત્રણ આરોપીઓ સાથે વાત કરતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ 25મી તારીખે તે શિલોંગથી સિલિગુડી થઈને ટ્રેન દ્વારા ઇન્દોર પહોંચી હતી.
સોનમે હનીમૂન દરમિયાન કોઈ ફોટા અપલોડ કર્યા ન હતા
હત્યા બાદ સોનમ રાજને ઇન્દોરમાં મળી હતી. સોનમ ઇન્દોરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેની બાદ એક ડ્રાઇવરે તેને યુપીમાં ડ્રોપ કરી હતી. જે વારાણસી થઈને ગાઝીપુર પહોંચી. તેમજ હત્યામાં વપરાયેલ હથિયાર ગુવાહાટી રેલ્વે સ્ટેશન નજીકથી લેવામાં આવ્યું હતું. સોનમે હનીમૂન દરમિયાન કોઈ ફોટા અપલોડ કર્યા ન હતા. જેના કારણે પોલીસને શંકા ગઈ અને તેમને હત્યામાં સોનમની સંડોવણીનો સંકેત મળ્યો હતો.
હત્યા પછી સોનમે રાજાના એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી
આ હત્યા પછી સોનમે રાત્રે 2:15 વાગ્યે રાજાના એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી. તેમજ 3 અને 4 જૂને પોલીસને હત્યામાં સોનમની સંડોવણી વિશે ખબર પડી. તેમજ સ્થળ પરથી મળેલું જેકેટ હત્યા કરનારા આકાશનું હતું. જ્યારે રેઈનકોટ સોનમનો હતો. જ્યારે મોબાઈલ સ્ક્રીન રાજાની હતી. સોનમે તેનો રેઈનકોટ આકાશને આપ્યો હતો. તેના પર લોહીના ડાઘ હતા. તેથી તે પણ સ્થળ પર ફેંકી દેવામાં આવ્યો હતો. જ્યારે આનંદની ધરપકડ સમયે તેણે ગુના સમયના જ કપડાં પહેર્યા હતા.
આ પણ વાંચો - Raja Raghuvanshi Murder case: સોનમે ન ખાધું, ન પોલીસ સાથે વાત કરી, આખી રાત ફક્ત એક જ વાત કહેતી રહી
વિશાલે પહેલો હુમલો કર્યો
મેઘાલય પોલીસે 7મી તારીખે ઓપરેશન હનીમૂનનું આયોજન કર્યું હતું. તેઓ 8મી તારીખે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. તેમજ 15 થી 20 લોકોની ટીમ વિવિધ સ્થળોએ પહોંચી અને પછી આરોપીઓની ધરપકડ કરી હતી.