નેશનલ

તો શું હવે ભારત અને મ્યાનમાર વચ્ચે વાડ બનશે?

ઈમ્ફાલ: મણિપુરમાં 3 મે 2023 ના રોજ હિંસા ફાટી નીકળી હતી ત્યારથી બિરેન સિંહે શાંતિ સ્થાપવા માટે વારંવાર પ્રયત્નો કરી રહ્યા હતા. જો કે તેમને કોઈપણ રીતે સફળતા મળતી નહોતી ત્યારે હવે મોદી સરકાર દ્વારા લાગૂ કરાયેલા એફએમઆર રદ કરવામાં આવે અને આ બંને દેશોની લરહદ પર હવે ફેન્સિંગ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

ફ્રી મૂવમેન્ટ રેઝીમ એ બે દેશો વચ્ચેનો કરાર છે જે સરહદની બંને બાજુ રહેતા આદિવાસીઓને બીજા દેશની અંદર 16 કિમી સુધી મુસાફરી કરવાની મંજૂરી આપે છે. તે બંને બાજુના સમુદાયોને સક્ષમ સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ બોર્ડર પાસ (એક વર્ષની માન્યતા)ના ઉત્પાદન પર માન્ય પરમિટ સાથે 72 કલાક સુધી રહેવાની મંજૂરી આપે છે.

નરેન્દ્ર મોદી સરકારની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ હેઠળ ઓક્ટોબર 2018માં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. ત્યારે જ્યારથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે, ત્યારથી આ એક્ટને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

અધિકારીઓનું કહેવું છે કે, “આતંકવાદીઓ અને ઘણા ગુનેગારો આ શાસનનો દુરુપયોગ કરે છે. તેઓ શસ્ત્રો, માદક દ્રવ્યો, દાણચોરીનો સામાન અને નકલી ભારતીય રૂપિયાની નોટોની દાણચોરી કરે છે. જ્યારથી મ્યાનમારમાં કુકી-ચીન સમુદાય વિરુદ્ધ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારથી તેનો ઉપયોગ સ્થળાંતર કરનારાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.”

કેટલાક અહેવાલો અનુસાર કેન્દ્રએ ભારત-મ્યાનમાર સરહદ પર અદ્યતન સ્માર્ટ ફેન્સીંગ સિસ્ટમ માટે ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. ફેન્સીંગ બાદ આંદોલન બંધ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો ફેન્સીંગ બનાવવામાં આને છે તો સરહદી વિસ્તારોમાં રહેતા લોકો, જેઓ અત્યાર સુધી સરળતાથી ભારતમાં આવી શકતા હતા. તેમને ટૂંક સમયમાં વિઝાની જરૂર પડશે.

નોંધનીય છે કે ભારત મ્યાનમાર સાથે 1,643 કિલોમીટર લાંબી સરહદ છે, જે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ રાજ્યોમાંથી પસાર થાય છે. 1,643 કિમીમાંથી લગભગ 390 કિમી સરહદ મણિપુરમાં આવે છે અને તેમાંથી અત્યાર સુધી માત્ર 10 કિમી પર વાડ કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…