નેશનલ

સાપ પર વિશ્વાસ કરી શકાય પણ ભાજપ પર નહીંઃ કોણે આપ્યું મોટું નિવેદન?

કૂચ બિહાર: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે ભાજપ પર લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે ઝેરી સાપ પર વિશ્વાસ કરી શકાય છે પરંતુ ભગવા છાવણી પર નહીં.

કૂચ બિહારમાં એક રેલીને સંબોધતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય તપાસ એજન્સી, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ ભાજપના ઈશારે કામ કરી રહી છે અને ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે તે તેની તપાસ કરે.


મમતાએ કહ્યું કે ભાજપ તમને આવાસ યોજના માટે ફરીથી નામ નોંધણી કરવા માટે કહી રહ્યું છે. શા માટે નામો ફરીથી નોંધવામાં આવશે? તેઓ વધુ નોંધણી ઈચ્છે છે જેથી કરીને તેઓ તેને હડપ કરી શકે. તમે ઝેરી સાપ પર વિશ્વાસ કરી શકો; તમે તેને પાલતુ પણ કરી શકો છો, પરંતુ તમે ભાજપ પર ક્યારેય વિશ્વાસ ન કરો. ભાજપ દેશને બરબાદ કરી રહી છે.


મમતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી ટીએમસી “કેન્દ્રીય એજન્સીઓની ધમકી” આગળ ઝુકશે નહીં. મમતાએ કૂચ બિહારની મહિલાઓને ૧૯ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી પહેલા “બીએસએફ દ્વારા સ્થાનિકોને ત્રાસ આપવાના કિસ્સાઓ હોય તો” પોલીસ ફરિયાદો દાખલ કરવા વિનંતી કરી હતી.


કેન્દ્રીય તપાસ એજન્સીઓ, એનાઈએ, ઇન્કમટેક્સ, બીએસએફ અને સીઆઇએસએફ ભાજપ માટે કામ કરી રહી છે. અમે ચૂંટણી પંચને નમ્રતાપૂર્વક વિનંતી કરીશું કે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરે કારણ કે કેન્દ્રીય એજન્સીઓ ભગવા શિબિર માટે કામ કરી રહી છે. મમતાએ દાવો કર્યો હતો કે ભાજપ માત્ર “એક રાષ્ટ્ર, એક પક્ષ”ના સિદ્ધાંતને અનુસરે છે.

સંબંધિત લેખો

Back to top button