નેશનલ

રૂરકીમાં દુ:ખદ અકસ્માત, ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી, કાટમાળ નીચે દટાઈ જતાં પાંચ મજૂરોના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

રૂરકીઃ ઉત્તરાખંડના રૂરકીમાં મંગળવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ઈંટના ભઠ્ઠાની દિવાલ ધરાશાયી થતા છ કામદારોના મોત થયા હતા. મેંગ્લોર કોતવાલી વિસ્તારના લહાબોલી ગામમાં સવારે, ઈંટના ભઠ્ઠામાં કાચી ઈંટો મારવા માટે દીવાલ બનાવી રહેલા છ કામદારોનું દીવાલ ધરાશાયી થતાં મૃત્યુ થયું હતું, જ્યારે બે કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાટમાળમાંથી અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

સોન સુરક્ષા ડેમની અંદર આવેલા લકી ઈંટના ભઠ્ઠામાં કામદારો ઈંટના ભઠ્ઠાની અંદરથી ઈંટો કાઢવાનું કામ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, સવારે ઈંટો પકવવા માટેની ચીમનીમાં ઈંટો ભરતી વખતે અકસ્માત સર્જાયો હતો. કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી.

કોઇ કંઇ સમજે તે પહેલા દિવાલ પાસે ઉભેલા કામદારો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. નજીકના લોકો અને ભઠ્ઠા માલિક દ્વારા તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને સબ-ડિવિઝનલ હોસ્પિટલ દાનાપુર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં છ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં ઘાયલ ત્રણ મહિલાઓની હાલત નાજુક છે. મૃતકોમાંથી ત્રણ ઝારખંડના અને એક બિહારના ગયા જિલ્લાના હોવાનું કહેવાય છે.

હાલ જેસીબી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એસપી દેહત સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મેંગ્લોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું હતુંકે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મજૂરોની હાલત નાજુક હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ મજૂરો લહાબોલી ગામના હતા, એક મજૂર મુઝફ્ફરનગરનો અને બીજો સ્થાનિક ગામનો હતો. તે જ સમયે એસએસપી અને ડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા ગ્રામજનો સાથે વાત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?