કેરળના દરિયાકાંઠે સિંગાપોરના કન્ટેનર શીપમાં આગ લાગી; બચાવ કામગીરી શરૂ કરી…

કોચી: આજે સોમવારે કેરળના બેપોરના દરિયાકાંઠે સિંગાપોરના એક કન્ટેનર જહાજમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ આગને કાબુમાં લેવા અને શીપના ક્રૂને બચાવવા માટે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.
સંરક્ષણ મંત્રાલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ પર લખ્યું કે કેરળના કોઝિકોડ જિલ્લામાં બેપોરે લગભગ 78 નોટિકલ માઇલ દૂર કન્ટેનર જહાજ ‘MV વાન હૈ 503’ માં આગ લાગી હોવાની જાણ થઈ હતી.
મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, નેવીએ INS સુરતને જહાજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને INS ગરુડથી DO ઉડાન ભરશે, જ્યારે ICG એ બચાવ કાર્ય માટે CG ડોર્નિયર સહિત અન્ય કેટલાક જહાજોને તૈનાત કર્યા છે.
અહેવાલમાં મુજબ કેટલાક વિસ્ફોટોને કારણે જહાજ પર આગ લાગી હતી અને લગભગ 40 કન્ટેનર અરબી સમુદ્રમાં પડી ગયા. આગથી બચવા માટે ઘણા ક્રૂ સભ્યો જહાજમાંથી કૂદી પડ્યા હતાં
કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ પ્રાથમિક માહિતી અનુસાર, જહાજમાં 22 ક્રૂ મેમ્બર્સ હતાં 18 રેક્યું બોટમાં બેસી દરિયામાં પહોંચી ગયા હતાં. તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. જહાજ હાલમાં ડૂબી રહ્યું નથી.
આપણ વાંચો: કોસ્ટ ગાર્ડ દ્વારા ડૂબતા માલવાહક જહાજના 6 ખલાસીનો દિલધડક બચાવ…