નેશનલ

શહબાઝ શરીફ પાક.ના વડા પ્રધાન તરીકે બીજી વાર શપથ લેશે

ઇસ્લામાબાદ: શહબાઝ શરીફ પાકિસ્તાનના બીજી વખત વડા પ્રધાન બનશે. શહબાઝ શરીફ પ્રમુખના નિવાસસ્થાન ખાતે સોમવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે.

શહબાઝ શરીફની યુતિ સરકારે નવી ચૂંટાયેલી સંસદમાં સરળતાથી બહુમતી સાબિત કરી હતી. વિરોધ પક્ષના સાંસદોએ તેમની વિરુદ્ધમાં ‘ચોર’ સહિતના અપશબ્દો વાપરીને સૂત્રોચ્ચાર કરીને જોરદાર વિરોધ કર્યો હતો.

પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝના ૭૨ વર્ષીય પ્રમુખે પોતાની વડા પ્રધાનપદે પસંદગી કરવા બદલ પોતાના મોટા ભાઇ નવાઝ શરીફ અને બધા સાથી પક્ષોનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે મને આશા છે કે અમારી યુતિ સરકાર પાકિસ્તાનને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશે અને વિવિધ પડકારનો સામનો કરી શકશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ અને
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની યુતિ પાસે પાકિસ્તાનની ૩૩૬ બેઠકવાળી સંસદમાં ૨૦૧ સાંસદ છે એટલે કે બહુમતી માટે જરૂરી ઓછામાં ઓછી બેઠકો કરતાં ૩૨ બેઠક વધુ છે.

અગાઉ, શહબાઝ શરીફ ૨૦૨૨ના એપ્રિલથી ૨૦૨૩ના ઑગસ્ટ સુધી વડા પ્રધાન રહ્યા હતા, પરંતુ તે પછી સામાન્ય ચૂંટણી યોજવા માટે સંસદનું વિસર્જન કરાયું હતું.

સંસદમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીકે ઇન્સાફના ૯૨ સાંસદ છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ