નેશનલ

સૌરભ ભારદ્વાજે કહ્યું, CM કેજરીવાલ દિલ્હીના લોકો માટે ચિંતિત, ED કસ્ટડીમાંથી કર્યો આ આદેશ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વધુ એક સૂચના આપી છે (CM Arvind Kejriwal ED Custody) . આ વખતે કેજરીવાલે આરોગ્ય વિભાગને લઈને સૂચનાઓ આપી છે. દિલ્હીના આરોગ્યપ્રધાન સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેજરીવાલ જી આજે કસ્ટડીમાં હોવા છતાં તેઓ દિલ્હીના લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. અગાઉ, જળ પ્રધાન આતિશીએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેજરીવાલે શનિવારે તેમને પાણી અને ગટર સંબંધિત જાહેર સમસ્યાઓના ઉકેલ માટે ‘તેમની સૂચનાઓ’ સાથે ED કસ્ટડીમાંથી એક દસ્તાવેજ મોકલ્યો હતો.

સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે દિલ્હીના મુખ્યપ્રધાને તેમને નિર્દેશો મોકલ્યા છે. ફ્રી બ્લડ ટેસ્ટ, સેમ્પલ કેટલીક હોસ્પિટલોમાં ઉપલબ્ધ નથી. અરવિંદ કેજરીવાલને લાગે છે કે તેમના જેલમાં જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. જો કોઈ મધ્યમ વર્ગની વ્યક્તિ દવાખાને જાય તો તે દવાઓ ખરીદી શકે છે, પરંતુ ગરીબો માટે એવું નથી, તેઓ સરકાર પર નિર્ભર છે. ઘણા દર્દીઓ જીવનભર દવાઓ પર નિર્ભર હોય છે જેમ કે ડાયાબિટીસ, સુગરના દર્દીઓ… તેઓ આ ટેસ્ટ માટે અમારા મોહલ્લા ક્લિનિક પર આધાર રાખે છે. મને આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દવાઓ અને ટેસ્ટ તમામ હોસ્પિટલોમાં મફત ઉપલબ્ધ હોવા જોઈએ અને તેમની ઉપલબ્ધતામાં ઘટાડો થવો જોઈએ નહીં. તેમની સૂચનાઓ અમારા માટે ભગવાનના આદેશો જેવી છે. આપણે બધા તેના સૈનિક છીએ. તેમના માટે 24 કલાક કામ કરશે.

કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલતા કોર્ટે તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને અંગત સહાયક બિભવ કુમારને દરરોજ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે અડધો કલાક મળવાની મંજૂરી આપી હતી. આ સમયગાળાનો બાકીનો અડધો કલાક કેજરીવાલના વકીલોને મળવા માટે આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button