સંજય સિંહે Arvind Kejriwal ના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી, કહ્યું વજન 8.5 કિલો ઘટયુ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના(Arvind Kejriwal) સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો જણાવ્યા છે. સંજય સિંહે કહ્યું કે જેલમાં કેજરીવાલનું વજન 8.5 કિલો ઘટી ગયું છે. આટલું વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની છે. જેલમાં કેજરીવાલનું શુગર લેવલ 50 થી 5 વખત નીચે ગયું છે.
SC તરફથી રાહત મળી
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સીએમ કેજરીવાલને જામીન આપતાં કોર્ટે તેમના પર કેટલીક શરતો પણ મૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ વચગાળાની મુક્તિના સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલયમાં જશે નહીં. જો કે હાલ અરવિંદ કેજરીવાલ સીબીઆઇ કરેલા કેસમાં 25 જુલાઇ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો : સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટના ચુકાદાથી વિભવ કુમારની મુશ્કેલીમાં વધારો
કોઈપણ ફાઇલ પર સહી કરી શકતા નથી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલે 50 હજાર રૂપિયાના જામીન બોન્ડ ભરવા પડશે અને એટલી જ રકમની સિક્યોરિટી આપવી પડશે. આ સાથે, અરવિંદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકતા નથી સિવાય કે એલજી પાસેથી મંજૂરી મેળવવા માટે આવું કરવું જરૂરી હોય.
કૌભાંડની ફાઈલ મુખ્યમંત્રીથી દૂર રહેવી જોઈએ
કેજરીવાલને વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ હાલના કેસમાં તેમની ભૂમિકા અંગે કોઈ ટિપ્પણી કે નિવેદન કરશે નહીં. કોઈપણ સાક્ષી સાથે વાતચીત કરશે નહીં. કથિત દારૂ કૌભાંડ કેસ સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલ પણ મુખ્યમંત્રીની પહોંચની બહાર રહેવી જોઈએ.