સંદેશખાલી ઘટના: દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી: ડીજીપી | મુંબઈ સમાચાર
નેશનલ

સંદેશખાલી ઘટના: દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી: ડીજીપી

કોલકાતા: સંદેશખાલીને મામલે સંબંધિત તમામ વ્યક્તિની ફરિયાદ સાંભળવામાં આવશે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, એમ પ. બંગાળના ડીજીપી રાજીવકુમારે ગુરુવારે કહ્યું હતું.
બુધવારે સંદેશખાલીની મુલાકાતે ગયેલા અને ત્યાં એક રાત રોકાયેલા કુમારે પ. બંગાળના 24 પરગણા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની આકારણી કરી હતી અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી.
હું અહીં અમારા અધિકારીઓ સાથે વાતચીત કરવા આવ્યો છું એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકોની સુરક્ષા અમારી જવાબદારી છે. અમે દરેકની ફરિયાદ સાંભળીશું. જો જમીન પચાવી પાડવા જેવી ઘટનાઓથી લઈને અન્ય કોઈપણ ફરિયાદ હશે તો દોષીઓ વિરુદ્ધ અમે કડક કાર્યવાહી કરીશું, એમ તેમણે કહ્યું હતું.
જો કોઈની હેરાનગતિ કરવામાં આવતી હોવાનું જણાઈ આવશે તો તેવા સંજોગોમાં પણ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. (એજન્સી)ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button