આસારામને રાહત, રાજસ્થાન હાઈકોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા...
Top Newsનેશનલ

આસારામને રાહત, રાજસ્થાન હાઈકોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા…

જોધપુર: રાજસ્થાનમાં રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાહત મળી છે. હાઈકોર્ટે તેમને મેડીકલ ગ્રાઉન્ડ પર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ કેસની સુનાવણી કરી રહેલા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની બેન્ચે આસારામને વચગાળાના જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા

આસારામની હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આસારામની ખરાબ તબિયતની પગલે રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી. આસારામ રેપ કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. આ ઉપરાંત જાન્યુઆરીની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં તબીબી કારણોસર માર્ચના અંત સુધી આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે આસારામને ઉંમર સંબંધિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને તેમને બે વાર હૃદયરોગના હુમલા થયા છે.

આસારામની વર્ષ 2013માં કરવામાં આવી હતી ધરપકડ

આસારામની ઓગસ્ટ 2013માં સગીરા પર બળાત્કાર કરવાના આરોપમાં જેલમાં ધરપકડ કરવામાં આવી હતી. જયારે બે મહિના બાદ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર ગુજરાતના સુરતમાં તેમના આશ્રમમાં બે મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા વિવાદ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button