હેં, હવે જૂની-ફાટેલી નોટ્સમાંથી બનશે તમારા ઘરનું ફર્નિચર, RBI નો છે માસ્ટર પ્લાન…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જૂની કે ફાટી ગયેલી ચલણી નોટના નિકાલ માટે એક મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે અને ચોંકાવનારી વાત તો એ છે કે આ આરબીઆઈનું આ પગલું તદ્દન ઈકો ફ્રેન્ડલી છે. આરબીઆઈ દ્વારા ખુદ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ કઈ રીતે આરબીઆઈ આ ચલણી નોટોમાંથી ફર્નિચર બનાવવાની યોજના બનાવી રહી છે-
આરબીઆઈ દ્વારા જૂની અને ફાટી ગયેલી નોટ્સનો નિકાલ લાવવા માટે એક એકદમ હટકે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આ પ્લાન તદ્દન ઈકો ફ્રેન્ડલી છે. આરબીઆઈ દ્વારા તેમના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે આશરે 15,000 ટન કરન્સી બ્રિકેટ્સનું ઉત્પાદન થાય છે, જેને અત્યાર સુધીમાં લેન્ડફિલ કે બાળીને પારંપારિક પદ્ધતિથી તેનો નિકાલ લાવવામાં આવતો હતો. પરંતુ હવે એનો ઉપયોગ પ્લાઈબોર્ડ બનાવવામાં થશે.
આઈ નો આઈ નો હવે તમને થશે કે આ જૂની-પૂરાની નોટ્સના નિકાસથી પર્યાવરણને કઈ રીતે નુકસાન પહોંચતું હતું તો તમારા સવાલનો જવાબ છે આ જૂની નોટ્સમાં સિક્યોરિટી થ્રેડ્સ, ફાઈબર, સ્પેશિયલ ઈંક અને કેમિકલ્સ જોવા મળતા હતા, જે અત્યાર સુધી જમીનમાં દાટવાને કારણે કે બાળવાને કારણે માટી, હવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા હતા. ઈન્ટરનેશનલ લેવલ પર પણ અનેક દેશો નોટના શેડ્સને લેન્ડફિલ કે ઈન્સિનરેશનના માધ્યમથી નષ્ટ કરતાં હતાં, જે પર્યાવરણ માટે બિલકુલ અનુકૂળ નથી.

હવે આરબીઆઈ દ્વારા આનો ઉપાય શોધી લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા ઈન્સ્ટિટ્યૂટ ઓફ વૂડ સાયન્સ અને ટેક્નોલોજી સાથે મળીને એક રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચને હેતુ હતો કે શું કરન્સ બ્રિકેટ્સને બદલે વૂડ પાર્ટિકલ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે કે કેમ? અભ્યાસમાં જોવા મળ્યું કે કરન્સી બ્રિકેટથી બનેલા પાર્ટિકલ બોર્ડ ટેક્નિકલ મેઝર્સ પર ખરા ઉતરે છે અને ફર્નિચર, ઈન્ટિરિયર ડિઝાઈન અને ધ્વનિરોધક સામગ્રી જેવી વસ્તુઓમાં ઉપયોગમાં લઈ શકાય છે.
આરબીઆઈ દ્વારા પાર્ટિકલ બોર્ડ બનાવનારી કંપનીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેજેલી આ કંપની કરન્સી બ્રિકેટ્સને ખરીદીને તેના પોતાના બોર્ડમાં વુડ પાર્ટિકલનો ઓપ્શન બનાવી શકે. આને કારણે જૂની નોટોનો નિકાલ તો આવશે પણ ઝાડ કાપવાના પ્રમાણમાં પણ ઘટાડો આવી શકે છે અને પર્યાવરણના સ્થાયિત્વને પ્રોત્સાહન મળશે.
ટૂંકમાં કહીએ તો આરબીઆઈનું પગલું એ સંદેશ આપી રહી છે કે ફાઈનાન્શિયલ સંસ્થાઓ હવે પર્યાવરણની જવાબદારીઓને ગંભીરતાથી લઈ રહી છે. જૂની નોટને કચરામાં ફેંકવાને બદલે તેને ફરી ઉપયોગમાં લઈને ઉત્પાદનની એક નવી દિશા આપવામાં આવી રહી છે.
આપણ વાંચો : જૂનમાં મહિનામાં આટલા દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBIએ આપી માહિતી…