નેશનલ

Supreme court: સાબરમતી જેલ સુરંગ કાંડાના આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

નવી દિલ્હી: ગુજરાત હાઈકોર્ટે વર્ષે મે મહિનામાં 2013ના સાબરમતી જેલ સુરંગ કાંડના આરોપીઓની જામીન અરજી ગયા ફગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે બુધવારે સુરંગ કાંડના એક આરોપીને જામીન આપ્યા હતા. આરોપી રઝીયુદ્દીન નાસાર પર અગાઉ અમદાવાદમાં 2008માં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો પરંતુ ફેબ્રુઆરી 2022માં તેને આ તમામ આરોપોમાં નોર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

કોર્ટે કહ્યું કે જેલમાંથી ભાગવાના પ્રયાસનો આરોપી, છેલ્લા 11 વર્ષથી જેલ કસ્ટડીમાં હતો, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટ્યાના પહેલા પાંચ વર્ષ જેલમાં ગળ્યા હતા. બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને મૃત્યુદંડની સજા અને અન્ય 11ને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.


જસ્ટિસ સીટી રવિકુમાર અને રાજેશ બિંદલની ડિવિઝન બેન્ચે કોર્ટે કહ્યું કે આ તમામ સંજોગો અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા નિયમો અને શરતોને આધિન જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે રઝીયુદ્દીન નાસારને તેના નિર્દેશોનું પાલન કરવા સંબંધિત ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે.


મે 2023 માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિઝર દેસાઈની અદાલતે આરોપી રઝીયુદ્દીનની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે 2013 માં સાબરમતી સેન્ટ્રલ જેલ સુરંગ કાંડમાં અન્ય બે આરોપીઓ સાથે તેણે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેણે જેલની બેરેકની અંદર ટનલ ખોદવાના કાવતરામાં ભાગ લીધો હતો, જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.


અન્ય બે શખ્સો અમદાવાદમાં થયેલા 2008ના સિરિયલ બોમ્બ વિસ્ફોટોમાં આરોપી હતા પરંતુ ફેબ્રુઆરી 2022માં આ કેસમાં નિર્દોષ છૂટી ગયા હતા. હાઈ કોર્ટે ઉમેર્યું હતું કે તેમને જામીન પર મુક્ત કરવાથી સમાજને ખોટો સંકેત મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…