નેશનલ

રાજકોટના સાંસદ અને કલેકટરે અભિયાનને ગંભીરતાથી લીધુું

રાજકોટ: મુંબઈ સમાચારની સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાનને ગંભીરતાથી લઈ અને આજરોજ કલેકટર પ્રભવ જોષી તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ નવરાત્રી મહોત્સવ ના આયોજકો, સરકારી અધિકારીઓ તથા મેડિકલ એક્સપર્ટ સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું.

કોરોના કાળ પછી છેલ્લા છ-આઠ મહિનાથી લોકોની કાર્ય કરવાની ક્ષમતામાં ઘણો ફરક પડ્યો છે આદત ન હોય તેવો શ્રમ કરવાથી જેમ કે ક્રિકેટ રમતા રમતા, દાંડિયારાસની પ્રેક્ટિસ દરમિયાન અને ક્યારેક અચાનક હૃદય રોગનો હુમલો આવી અને અપમૃત્યુ ના બનાવો વધતા જાય છે તેવા સંજોગોમાં મુંબઈ સમાચારએ સર્વપ્રથમ ચિંતા વ્યક્ત કરી અને સાંસદ રામભાઈ મોકરીયા સમક્ષ તેમના માધ્યમથી સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સમક્ષ આખી વાત રજૂ કરી હતી. સમગ્ર ગુજરાતમાં વ્યાપક રીતે ખેલૈયાને સતર્ક કરવા માટે તથા તેમની આરોગ્યની કાળજી માટે દાંડીયારાસ ના આયોજકો તથા સરકારી મશીનરી સાથે કામ કરે તેવા પ્રયત્નો મુંબઈ સમાચારે શરૂ કર્યા હતા. આ મુહિમમાં ગુજરાતના તમામ અગ્રગણ્ય અખબાર તથા વિઝ્યુઅલ મીડિયા, ચેનલો જોડાઈ અને વાતની ગંભીરતાને સમજી લોકોને સતર્ક કરવાનું કાર્ય શરૂ કર્યું હતું.

આ સંદર્ભે આજરોજ રાજકોટ ખાતે આયોજકોને બોલાવી અને કલેક્ટર પ્રભવ જોષી, સાંસદ રામભાઈ મોકરીયા, મુંબઈ સમાચારના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદી, ૧૦૮ એમ્બ્યુલન્સના કોર્ડીનેટર, આઈ એમ એ પ્રેસિડેન્ટ, સિવિલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ટીલાળા ઉપરાંત અન્ય અધિકારીઓએ એક મિટિંગ લઈ અને જરૂરી
સૂચનાઓ ખેલૈયા અને આયોજકો સુધી પહોંચે તે માટે આયોજકોને સૂચનો કર્યા હતા. તે મુજબ દરેક દાંડિયારાસના આયોજકોએ તેમના આયોજનમાં મેડિકલ સેન્ટર ઊભું કરવું, આયોજન સમિતિના પાંચ જણાએ ઈઙછ ટ્રેનિંગ લઈ અને સતર્ક રહેવું. એમ્બ્યુલન્સ ને આવવા જવા માટે એક જુદો માર્ગ આપવો… વગેરે સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં મોટા આયોજન ઉપરાંત શેરી ગલી કે ચોકમાં નાના આયોજન થતા હોય તેવા આયોજકોને પણ સૂચના આપવામાં આવી હતી કે એમ્બ્યુલન્સ કે વાહનોને આવવા જવા માટે રસ્તાઓ બંધ કરવા નહીં.

મુંબઈ સમાચાર ખેલૈયાને પણ તાકીદ કરે છે કે તમારી શારીરિક ક્ષમતા પ્રમાણે જ તમારે રમવું જોઈએ. જંક ફૂડ તથા બજારમાં મળતા ઠંડા પીણાથી દૂર રહેવું. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય એટલે કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે લીંબુ શરબતનું સેવન કરવું. જો રમતા રમતા શ્ર્વાસ ફુલાઈ જાય, હાંફ ચડે તો બહાર નીકળી અને ખુલ્લી હવામાં બેસી શ્ર્વાસ નોર્મલ ન થાય ત્યાં સુધી આરામ કરવો.

નવરાત્રી પર્વ માતાજીની આરાધના કરવાનું, આનંદ કરવાનું પર્વ છે. ગરબા એ આપણી સંસ્કૃતિ છે. રમવું, આનંદ કરવો પરંતુ સ્પર્ધાત્મક ભાવનાથી વધુ પડતો શારીરિક શ્રમ ન કરવા તમામ ખેલૈયાઓને તાકીદ કરવામાં આવે છે.

મુંબઈ સમાચારે ખાતરી આપી છે કે જે આયોજકો મેડિકલ સેન્ટરની વ્યવસ્થા ઊભી ન કરી શકે. અથવા તકલીફ પડતી હોય તો મુંબઈ સમાચારના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીનો સંપર્ક કરવાથી તેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે પણ ૨૪ / ૭ એક મેડિકલ સેન્ટર ધમધમતું રહેશે ૪૦ બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં ૨૦ મેઈલ બેડ અને ૨૦ ફિમેલ બેડ ઉપરાંત ૧૦ આઈસીયુ બેડ પણ રાખવામાં આવશે આ સેન્ટર સંપૂર્ણ સાધનો તથા જરૂરી ડૉક્ટરની ટીમ સાથે હશે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના માધ્યમથી સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ટ ડૉક્ટર આર. એસ. ત્રિવેદીને સેક્ધડ યર એમબીબીએસના વિદ્યાર્થીઓ આ મોહિમમાં સાથે રહે અને મેડિકલી મદદ રૂપ થાય તેવી વ્યવસ્થા કરાવવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતભરના ખેલૈયાઓને પોતાની સંભાળ પોતે રાખી શકે તે માટે અને અન્યને મદદરૂપ થઈ શકે તે માટે એક ભલામણ એવી પણ કરી શકાય કે જાતે સરકારી હૉસ્પિટલ કે રેડ ક્રોસ સોસાયટી પાસે જઈ અને સી.પી.આર.ની ટ્રેનિંગ લેવી જોઈએ જેથી કરી અને તાત્કાલિક તમારી આજુબાજુ કોઈ આવી ઘટના ઘટે તો તમે મદદરૂપ થઈ શકો. કોઈનો જીવ બચાવી શકો.
હાલ રાજકોટમાં ગરબા આયોજન કરતાં આયોજકોનું વોટસઅપ ગ્રૂપ બનાવી તાત્કાલિક સૂચનાની આપ-લે કરી શકાય તેવું કલેક્ટર કચેરી દ્વારા આયોજન થવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે