નેશનલસ્પેશિયલ ફિચર્સ

રાજીવ ગાંધીની હત્યા પૂર્વે તેના હત્યારાઓ આ ભૂતપૂર્વ PM ને મળેલા અને પછી….

ભારતના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનું પ્રકરણ ચર્ચાસ્પદ રહ્યું છે. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાને અઢી દાયકાનો સમય વીતી જવા આવ્યો છે. પરંતુ તે દાયકાને લોકો હજુ પણ ભૂલી શકતા નથી. તારીખ હતી 21 મે અને વર્ષ હતું 1991નું. તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું. પરંતુ શું તમે જાણો છો કે રાજીવ ગાંધીની હત્યા કરનારા હુમલાખોરો તે પહેલાં એક ભૂતપૂર્વ વડા પ્રધાનને પણ મળ્યા હતા. હા, આજે અમે તમને તે હત્યાના આયોજન વિશે જણાવીશું.

Also read : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર શા માટે ઉજવાય છે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ? જાણો ..

21 મે, 1991ના રોજ રાજીવ ગાંધી તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના હતા. તે સ્ટેજ પર પહોંચે તે પહેલાં જ રેડ કાર્પેટ પર સ્વાગત દરમિયાન ધનુ નામના બોમ્બર દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મહિલા ઉગ્રવાદી ધનુએ વડા પ્રધાન રાજીવ ગાંધીને ફૂલોની માળા પહેરાવી અને બાદમાં તેના પગ સ્પર્શ કરવા માટે નીચે ઝૂકી અને તે જ સમયે તેણે પોતાની કમર પર બાંધેલા વિસ્ફોટકોનું બટન દબાવ્યું અને વિસ્ફોટ કર્યો હતો. આ આત્મઘાતી હુમલામાં રાજીવ અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ હુમલામાં પોલીસ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સહિત 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કઈ રીતે રચ્યું હત્યાનું ષડયંત્ર?

પણ તેમની હત્યાનું કાવતરું કઈ રીતે રચવામાં આવ્યું તે પણ જાણવા જેવુ છે. રાજીવ ગાંધીની હત્યા પાછળ આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ એટલે કે LTTEનો હાથ હતો. પરંતુ તેનો માસ્ટરમાઇન્ડ શિવરાસન હતો. જ્યારે શિવરાસને રાજીવ ગાંધીને મારવાની યોજના બનાવી, ત્યારે તેણે ઘણી પદ્ધતિઓ પર કામ કર્યું પરંતુ અંતે તેણે આત્મઘાતી બોમ્બ યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. જો કે આ દરમિયાન પીએમની સુરક્ષા કેવી છે તે વિશે માહિતી મેળવવા માટે શિવરાસને તેના મદદગારોએ ભૂતપૂર્વ પીએમ વીપી સિંહને મળવાની યોજના બનાવી હતી.

Also read : Delhi ના મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા, આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ 

ચેન્નાઈમાં વીપી સિંહને મળ્યા હતા હુમલાખોરો
આ દરમિયાન તેમને માહિતી મળે છે કે વીપી સિંહ ચેન્નાઈમાં એક રેલી કરવાના છે, ત્યારબાદ આ બધા હુમલાખોરો તેમને મળવા જાય છે અને તેમને માળા પહેરાવે છે અને યોજનાને અંતિમ સ્વરૂપ આપે છે. તે મુલાકાતમાં ધનુ અને સુધા તેને માળા પહેરાવે છે અને નલિનીએ ફોટો લેવાનું કામ કર્યું હતું, પરંતુ તે તેમ કરી શકી નહોતી. તે મુલાકાત બાદ શિવરાસન રાજીવ ગાંધીની હત્યા કરવાની યોજના બનાવે છે અને 21 મે 1999 ના રોજ રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button