નેશનલ

Rahul Gandhi ટ્રેન લોકો-પાયલોટોને મળ્યા, Railwayના ખાનગીકરણનો મુદ્દો લોકસભામાં ઉઠાવવાની બાંહેધરી આપી

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)શુક્રવારે ટ્રેન ચલાવતા લોકો પાઇલોટ્સને મળ્યા અને તેમને ખાતરી આપી કે તેઓ ‘રેલવેના ખાનગીકરણ'(Railway Privatation)અને ભરતીના અભાવનો મુદ્દો ઉઠાવશે. કોંગ્રેસ અનુસાર રાહુલ ગાંધીએ બપોરે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર 50 ટ્રેન લોકો-પાયલોટ સાથે મુલાકાત કરી. આ મીટિંગ દરમિયાન લોકો-પાયલોટ્સે કહ્યું કે તેમને આરામ કરવાનો પૂરતો સમય નથી મળતો. કોંગ્રેસે આ બેઠકનો વીડિયો અને તસવીર પણ જાહેર કરી છે.

લોકો પાયલોટે આ ફરિયાદ કરી હતી

કોંગ્રેસના જણાવ્યા અનુસાર ટ્રેન લોકો-પાયલોટો ફરિયાદ કરે છે કે તેઓ લાંબા અંતરની ટ્રેનો ચલાવે છે અને ઘણી વખત પર્યાપ્ત વિરામ વિના ફરજ પર પાછા મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે આનાથી વધુ પડતો તણાવ અને એકાગ્રતામાં ઘટાડો થાય છે જે અકસ્માતોનું મુખ્ય કારણ છે. કોંગ્રેસે કહ્યું કે વિશાખાપટ્ટનમમાં થયેલા અકસ્માતની તાજેતરની તપાસ સહિત અનેક અહેવાલોમાં રેલવે દ્વારા આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું, “લોકો- પાયલોટો માંગ કરે છે કે તેમને અઠવાડિયામાં 46 કલાકનો આરામ મળે. આનો અર્થ એ છે કે જે ટ્રેન ડ્રાઈવર શુક્રવારે બપોરે ઘરે પરત ફર્યો હતો તે રવિવારની સવાર પહેલા ફરજ પર પરત ફરશે.

રેલવેમાં આ નિયમો છે

રેલ્વે અધિનિયમ 1989 અને અન્ય નિયમોમાં દર અઠવાડિયે 30 વત્તા 16 કલાક આરામની જોગવાઈ પહેલેથી જ છે, જેનો અમલ થઈ રહ્યો નથી. એરપ્લેન પાઇલોટ્સ સામાન્ય રીતે સમાન છૂટ મેળવે છે. કોંગ્રેસનું કહેવું છે કે લોકો-પાયલોટની પણ માંગ છે કે સતત બે રાતની ડ્યુટી પછી એક રાતનો આરામ હોવો જોઈએ અને ટ્રેનોમાં ડ્રાઈવરો માટે મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ.

લોકો -પાયલોટોએ આ આશંકા વ્યક્ત કરી હતી

રાહુલ ગાંધી અને લોકો પાયલોટો વચ્ચેની બેઠક દરમિયાન એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા લોકો-પાઇલટ્સની તમામ ભરતી અટકાવવા અને સ્ટાફની અછતને કારણે ઓછો આરામ મળે છે, કોંગ્રેસે જણાવ્યું હતું કે, “છેલ્લા ચાર વર્ષમાં રેલ્વે ભરતી કરવામાં આવી છે હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં બોર્ડે એક પણ લોકો- પાયલોટની ભરતી કરી નથી. પાઈલટોને આશંકા છે કે આ જાણી જોઈને લેવાયેલું પગલું મોદી સરકારની રેલવેનું ખાનગીકરણ કરવાની યોજનાનો એક ભાગ છે.

રાહુલ ગાંધી સંસદમાં ટ્રેન લોકો પાયલોટોની સમસ્યાઓ ઉઠાવશે

રાહુલ ગાંધીએ લોકો પાયલટોને કહ્યું કે તેઓ સતત રેલવેના ખાનગીકરણ અને ભરતીના અભાવનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું, “રાહુલ ગાંધીએ તેમની ચિંતાઓ સાંભળી અને પર્યાપ્ત આરામની તેમની માંગને સંપૂર્ણ સમર્થન આપ્યું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આનાથી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થશે. વિપક્ષના નેતા તરીકે તેમણે તેમની માંગણીઓ સરકાર સમક્ષ ઉઠાવવાનું વચન આપ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…