નેશનલમનોરંજન

‘Thappad’કાંડ બાદ આવ્યું Queen Kangana Ranautનું Reaction, Video Post કરીને વ્યકત કરી આ મુદ્દે ચિંતા…

ચંડીગઢ: બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી બનેલી સાંસદ કંગના રનૌત (Bollywood Actress And Newly Elected MP Kangna Ranaut)ને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ (CISF)ની મહિલા ગાર્ડે લાફો મારી દીધો હતો અને ત્યાર બાદ એરપોર્ટ પર ધમાલ મચી ગઈ હતી. એક્ટ્રેસે મહિલા ગાર્ડ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. દરમિયાન કંગના રનૌતે આ ઘટના બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે સીઆઈએસએફની મહિલા ગાર્ડ કિલવિંદર કૌરને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

ચંડીગઢ એરપોર્ટ પર થયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કંગના રનૌતની પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને પોતાના ફેન્સ અને મીડિયાને માહિતી આપી હતી કે હું એકદમ સુરક્ષિત છું અને સેફ છું. આ ઘટના હું ક્યારે લગેજ ચેક ઈન કરીને બોર્ડિંગ કરવા જઈ રહી હતી એ સમયે બની હતી. એ વખતે એરપોર્ટ પર તહેનાત CISFની મહિલા ગાર્ડે મને ગાળો આપીને મારા ફેસ પર હિટ કર્યું હતું. મેં એને પૂછ્યું કે તેણે મારી સાથે એવું કેમ કર્યું? જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તે કિસાન આંદોલનને સપોર્ટ કરે છે.


કંગનાએ પોતાના વીડિયોમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે મારો ચિંતાનો વિષય બીજો જ છે. છેલ્લાં કેટલાક સમયથી પંજાબમાં જે રીતે ઉગ્રવાદ અને આતંકવાદની ઘટનાઓ વધી રહી છે એ ખરેખર ચિંતાનો વિષય છે. આપણે આ બાબતને ખૂબ જ કાળજીપૂર્વક હેન્ડલ કરવી પડશે.

દરમિયાન હવે સૂત્રો દ્વારા એવી માહિતી આપવામાં આવી રહી છે કે કંગના રનૌત (Kangana Ranaut)ને લાફો મારનાર સીઆઈએસએફ (CISF Female Gaurd)ની મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવી છે.

આખી ઘટના વિશે વિસ્તારથી જણાવવાનું થાય તો કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ ગાર્ડ (CISF Gaurd)એ લાફો મારી દીધો હતો. કંગના રનૌતના પોલિટિકલ એડવાઈઝર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચંડીગઢ એરપોર્ટ પર તહેનાત સીઆઈએસએફની મહિલા ગાર્ડે કંગના રનૌતને લાફો મારી દીધો હતો.

સીઆઈએસએફની મહિલા ગાર્ડ કંગના રનૌતે કિસાન આંદોલન મુદ્દે આપેલા નિવેદનથી નારાજ હતી અને આ કારણે જ તેણે કંગનાને તમારો મારી દીધો હતો. અહીંયા તમારી જાણકારી માટે કે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌત (Kangna Ranaut)ને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી અને તે જિતી ગઈ હતી. આજે કંગના રનૌત દિલ્હી જવા રવાના થઈ છે. એવા સમયે જ તેને લાફો મારવાના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી માટે રવાના થતાં પહેલાં કંગનાએ માતના આશિર્વાદ લીધા હતા અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતાં લખ્યું હતું કે તે સંસદ માટે રવાના થઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો