ભારતની મિસાઈલ શક્તિ: 'પૃથ્વી-2' અને 'અગ્નિ-1'નું સફળ પરીક્ષણ!
ટોપ ન્યૂઝનેશનલ

ભારતની મિસાઈલ શક્તિ: ‘પૃથ્વી-2’ અને ‘અગ્નિ-1’નું સફળ પરીક્ષણ!

નવી દિલ્હી: ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની તાકાત દેખાડી દીધી છે. એક દિવસ પહેલા જ ડીઆરડીઓએ ૧૫ હાજર ફૂટથી પણ વધારે ઉંચાઈથી આકાશ પ્રાઈમ મિસાઈલ સીસ્ટમ બાદ હવે ભારતે ઓડીશાના ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જ (ITR) પરથી ‘પૃથ્વી-II’ અને ‘અગ્નિ-I’ બેલેસ્ટિક મિસાઈલોનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધુ એક મજબૂતીનો ઉમેરો દર્શાવે છે.

બેલેસ્ટિક મિસાઈલોનું સફળતાપૂર્વક પરીક્ષણ
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઓડિશાના ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જ (ITR) પરથી ‘પૃથ્વી-2’ અને ‘અગ્નિ-1’ નામની ટૂંકી-શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણોએ તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને પૂર્ણ કર્યા છે. આ પરીક્ષણો વ્યૂહાત્મક દળ કમાન્ડ (Strategic Forces Command) ના નેજા હેઠળ કરવામાં આવ્યા હતા, જે ભારતીય સેનાની મિસાઈલ ક્ષમતાની કાર્યક્ષમતા દર્શાવે છે.

અબ્દુલ કલામ દ્વીપ પરથી અગ્નિ-1 નું પરીક્ષણ
મળતી માહિતી મુજબ, અગ્નિ-1 નું પરીક્ષણ અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું હતું, જ્યારે પૃથ્વી-2 નું પરીક્ષણ થોડા સમય બાદ ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જના લોન્ચ પેડ નંબર-3 પરથી કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણો ભારતીય સેનાની સુરક્ષા અને પ્રતિકારક ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button