નેશનલ

વડા પ્રધાન મોદીએ ઈશાન ભારતમાં55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું

ટિવન ટનલ: અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઉંચાઈએ આવેલી વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વની એવી `સેલા ટનલ’ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા બાંધવામાં આવી છે, તેનું ઉદ્ઘાટન વડા પ્રધાને શનિવારે વર્ચ્યુઅલી કર્યું હતું. આ ટિવન ટનલમાંથી એક ટનલ દ્વિમાર્ગી છે. (પીટીઆઈ)

ઈટાનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈશાન ભારતમાં વ્યૂહાત્મક સેલા ટનલ સહિત કુલ રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. આ ટનલ અરુણાચલ પ્રદેશના તવાંગને બધી જ મોસમમાં કનેક્ટિવિટી આપવામાં મહત્ત્વપુર્ણ બની રહેશે.
વડા પ્રધાન દ્વારા અનાવરણ કરવામાં આવેલા પ્રોજેક્ટ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આવેલા છે.
સેલા ટનલનું બાંધકામ અંદાજે રૂ. 825 કરોડના ખર્ચે થયું છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે આ ટનલને અજાયબી માનવામાં આવી રહી છે. અરુણચાલ પ્રદેશના બાલીપારા-ચારીદૌર-તવાંગ રોડમાં સેલા પાસ બધા મોસમમાં કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી શકશે, એવું એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ફેબ્રુઆરી-2019માં કરવામાં આવ્યો હતો. આનાથી આ ક્ષેત્રમાં પરિવહન ઝડપી અને અસરકારક જ નહીં બને, પરંતુ દેશ માટે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે કેમ કે આ પાસ ચીન સાથેની સરહદ નજીક આવેલો છે.
વડા પ્રધાને સેલા ટનલનું ઉદ્ઘાટન અરુણાચલ પ્રદેશ રાજ્ય પરિવહનની બસને લીલી ઝંડી દાખવીને કર્યું હતું, જેણે ટનલમાં પ્રવાસ કર્યો હતો.
બધું મળીને વડા પ્રધાને અરુણાચલ પ્રદેશમાં રૂ. 41,000 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું.
તેમણે દિબાંગ વેલી જિલ્લામાં દિબાંગ મલ્ટિપરપઝ હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું ભૂમિપુજન કર્યું હતું. આને રૂ. 31,875 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. આ દેશનું સૌથી ઊંચું બંધનું માળખું બની રહેશે.
તેમણે આ ઉપરાંત કેટલાક રોડ, પર્યાવરણ અને પ્રવાસન પ્રોજેક્ટના ભૂમિપૂજન કર્યા હતા. આ ઉપરાંત સ્કૂલોની સુધારણાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે.
તેમણે રાજ્યમાં જલ જીવન મિશનના 1,100 પ્રોજેક્ટ, 170 ટેલિકોમ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી 300 ગામડાને ફાયદો થશે.
વડા પ્રધાને પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 450 કરોડને ખર્ચે બાંધવામાં આવેલા 35,000 ઘર પણ સ્થાનિકોને વિતરિત કર્યા હતા.
તેમણે મણિપુરમાં રૂ. 3,400 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું.
જે પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવ્યા તેમાં નિલાકુઠી ખાતે યુનિટી મોલ, મંત્રીપુખરી ખાતે મણિપુર આઈટી એસઈઝેડનું પ્રોસેસિંગ યુનિટ, લેમ્પઝેલપાટ ખાતે 60 બેડની હોસ્પિટલ જેમાં સ્પેશ્યલાઈઝડ સાઈકિયાટ્રિસ્ટ સારવારની વ્યવસ્થા ધરાવતી અને ઈમ્ફાલ વેસ્ટ ડિસ્ટ્રિક્ટમાં મણિપુર ટેક્નિકલ યુનિવર્સિટીના માળળખાકીય વિકાસનો સમાવેશ થાય છે.
વડા પ્રધાને આ પ્રસંગે મણિપુરમાં અલગ અલગ રોડ પ્રોજેક્ટ અને પાણી પુરવઠા યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
તેમણે નાગાલેન્ડમાં રૂ. 1,700 કરોડના વિકાસના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું.
મેઘાલયમાં વડા પ્રધાને રૂ. 290 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું.
સિક્કિમમાં વડા પ્રધાને રૂ. 450 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. તેમણે કેટલાક રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું અને થારપુથી દારામદીનને જોડતા નવા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું.
તેમણે ત્રિપુરામાં રૂ. 8,500 કરોડના વિકાસના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
તેમણે રાજ્યમાાં વિવિધ રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. જેમાં અગરતલા વેસ્ટર્ન બાયપાસનો સમાવેશ થાય છે. તેમણે ઈન્ડિયન ઓઈલના સેકેરકોટે ખાતે નવા ડેપોનું ભૂમિપૂજન કર્યું હતું.
તેમણે આ વિસ્તાર માટે નવી ઈન્ડસ્ટે્રિયલ ડેવલપમેન્ટ યોજનાને ઉન્નતી (ઉત્તર પૂર્વ ટ્રાન્સફોર્મેટિવ ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન) પણ શરૂ કરી હતી. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત