નેશનલ

PM Modi બે દિવસના કાશ્મીર પ્રવાસે, 1500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, Yoga Day ની ઉજવણીમાં ભાગ લેશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)આજથી જમ્મુ-કાશ્મીરની(Jammu Kashmir) બે દિવસીય મુલાકાતે છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(Yoga Day)ઉજવણીમાં પણ સામેલ થશે. તેઓ શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે યોગ દિવસની ઉજવણી કરશે. યોગ દિવસ પહેલા PM મોદી આજે સાંજે 6 વાગ્યે યુવાનોના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજાશે.

શ્રીનગર રેડ ઝોન જાહેર

તાજેતરના સમયમાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલીક આતંકવાદી ઘટનાઓ પણ બની છે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શ્રીનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ સેન્ટર અને દાલ લેકની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

1500 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ

પીએમ મોદી જમ્મુ-કાશ્મીરને 1500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપશે. તેઓ 21 જૂને સવારે 6:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. વડા પ્રધાન 2015 થી દર વર્ષે યોગ દિવસ પર આયોજિત ઉજવણીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે દિલ્હી, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, લખનૌ, મૈસુર અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે.

આ વર્ષે યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે અને વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં તેની બેવડી ભૂમિકાને પ્રકાશિત કરે છે. પીએમઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં યોગના પ્રસારને અને લોકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરશે.

સુરક્ષા દળોને બે મોટી સફળતા મળી

પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ પહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સૌથી પહેલા કુપવાડાના એન્કાઉન્ટરમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બે આતંકીઓને ઠાર કર્યા છે. બંને આતંકીઓ લશ્કર સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે, જ્યારે બીજી મોટી સફળતામાં રિયાસીમાં વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકી હુમલાની તપાસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

NIA કરી રહી છે મામલાની તપાસ

એવું કહેવામાં આવી રહ્યું છે કે હકીમ નામના આ વ્યક્તિએ પૈસા લીધા હતા અને આતંકીઓને પોતાના ઘરે આશ્રય આપ્યો હતો. હવે આ પૂછપરછમાં બાકીના આતંકવાદીઓની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. NIA હવે આ મામલાની તપાસ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ