Ram mandir: વડા પ્રધાન મોદી તમિલનાડુમાં રામ સેતુના મૂળ પાસે અનુલોમ વિલોમ કરતા જોવા મળ્યા | મુંબઈ સમાચાર

Ram mandir: વડા પ્રધાન મોદી તમિલનાડુમાં રામ સેતુના મૂળ પાસે અનુલોમ વિલોમ કરતા જોવા મળ્યા

ધનુષકોડી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ પહેલા આજે રવિવારે સવારે તમિલનાડુના ધનુષકોડી નજીક અરિચલ મુનાઈની મુલાકાત લીધી, જ્યાંથી રામ સેતુની શરૂઆત થાય છે. વડા પ્રધાન મોદીએ અરિચલ મુનાઈ પોઈન્ટ પર ‘અનુલોમ વિલોમ’ કરતા જોવા મળ્યા હતા.

એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે ધનુષકોડી પર જ ભગવાન રામે રાવણનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તે પવિત્ર ભૂમિ છે જ્યાંથી ભગવાન રામ લંકા ગયા હતા.


વડા પ્રધાન મોદી આજે શ્રી કોથંદરમા સ્વામી મંદિરમાં પૂજા પણ કરશે. કોથંદરમા નામનો અર્થ થાય છે ધનુષ્ય સાથે રામ. આ મંદિર ધનુષકોડીમાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે અહીં રાવણના ભાઈ વિભીષણ ભગવાન રામને પ્રથમ વખત અહીં મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. કેટલાક દંતકથાઓ એવું પણ કહે છે કે આ તે સ્થાન છે જ્યાં ભગવાન રામે વિભીષણનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. વડા પ્રધાન રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા માટે સોમવારે અયોધ્યા જવાના હોવાથી આ મુલાકાતોનું ઘણું મહત્વ છે.

સંબંધિત લેખો

Back to top button