નેશનલ

વીર બાળ દિવસ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે….

નવી દિલ્હી: વડા પ્રધાન મોદીએ આજે ​​ભારત મંડપમ ખાતે આયોજિત વીર બાળદિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે સમયે સંબોધનમાં કરતા દેશ માટે બલિદાન આપનાર ગુરુ ગોવિંદ સિંહજીના ચાર બહાદુર પુત્રોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વીર બાળ દિવસ આપણને બહાદુરીની યાદ અપાવે છે, જ્યારે અન્યાય અને અત્યાચારનો સમય હતો ત્યારે એક ક્ષણ માટે પણ નિરાશાને આપણા પર હાવી થવા દીધી નથી. આપણા પૂર્વજોએ ઘણું બલિદાન આપ્યું છે. તેણે પોતાના પ્રિયજનો માટે જીવવા કરતાં દેશ માટે મરવાનું વધારે પસંદ કર્યું. આજે આપણને આપણા વારસા પર ગર્વ છે. દેશ ગુલામીની માનસિકતામાંથી બહાર આવી રહ્યો છે. વીર બાળ દિવસના રૂપમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે.

આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે યુવાનોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એટલા માટે શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ડ્રગ્સ એ આજે દેશ માટે મોટી સમસ્યા છે. આ સમસ્યા સામે દરેક વ્યક્તિએ લડવું પડશે.


ગયા વર્ષે દેશે પ્રથમ વખત વીર બાળ દિવસ ઉજવ્યો હતો. ત્યારે આ સાહિબજાદાઓ આપણને સમજાવે છે કે મા ભારતીની રક્ષા માટે આપણે કોઈપણ હદ સુધી જઈ શકે છે. રાષ્ટ્ર આજે ગુરુગોવિંદજી અને તેમના ચાર પુત્રોને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ સાથે પીએમે દિવાન ટોડરમલ અને મોતી લાલ નેહરાને પણ યાદ કર્યા હતા.
પીએમએ જણાવ્યું હતું કે વીર બાળ દિવસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉજવવામાં આવશે. હવે દુનિયા સાહેબજાદોને વિશે જાણશે. સાહિબજાદાઓનું બલિદાન આજના ભારત માટે પ્રેરણારૂપ છે.


ઉલ્લેખનીય છે કે 1704માં ઔરંગઝેબ અને ગુરુ ગોવિંદ સિંહ વચ્ચે યુદ્ધ થયું. ત્યારે ગુરુ ગોવિંદ સિંહને ચાર પુત્રો હતા, જેઓ સાહેબજાદે કહેવાતા. ચમકૌરના યુદ્ધમાં ગુરુ ગોવિંદ સિંહના બે પુત્રો સાહિબજાદા અજીત સિંહ અને જુઝાર સિંહ શહીદ થયા હતા જ્યારે માત્ર 7 વર્ષ અને 9 મહિનાના જોરાવર સિંહ, પાંચ વર્ષના ફતેહ સિંહ અને માતા ગુજરી અલગ થઈ ગયા હતા.

બાદમાં સરહિંદના નવાબે તેને પકડીને કેદમાં રાખ્યા હતા અને તેમની પર ઘણી યાતનાઓ ગુજારી હતી પરંતુ તેમણે પોતાનો ધર્મ ન છોડ્યો અને માતૃભૂમિની રક્ષા માટે જોરાવર સિંહ અને ફતેહ સિંહે બલિદાન આપ્યું હતું. આજનો દિવસ ક્યારેય ના ભૂલાય તે માટે વડા પ્રધાન મોદીએ 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress