ગુજરાત મુલાકાત વખતે પીએમ મોદીને સિંદૂરનો છોડ મળ્યો, જાણો છોડનું મહત્ત્વ?

ભારતીય સંસ્કૃતિમાં પરિણીત સ્ત્રીઓ માટે સિંદૂરનું ખાસ મહત્વ છે. ભારતમાં સેંથીમાં સિંદૂર લગાવવાની પરંપરા છે, જે સુહાગનું પ્રતીક છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સિંદૂરનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. પરિણીત સ્ત્રીઓ સિંદૂર લગાવી તેમના પતિઓના રક્ષણ માટે પ્રાર્થના કરે છે. પહલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ પત્નીઓની સામે તેમના પતિને માર્યા હતા. ત્યારે પીએમ મોદીએ બિહારની ધરતી પરથી બદલો લેવાની જાહેરાત કરી હતી. જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. ‘ઓપરેશન સિંદૂર’ પછી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છમાં 1971ના યુદ્ધની વીરમહિલાઓ દ્વારા સિંદૂરનો છોડ ભેટમાં આપવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને આ વૃક્ષ વાવવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કચ્છના ભુજમાં પાકિસ્તાનને ચેતવણી આપતી વખતે માધાપરની મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે 1971ના યુદ્ધ દરમિયાન મહિલાઓએ માત્ર 72 કલાકમાં ભુજ એરબેઝના રનવેનું સમારકામ કર્યું હતું. મને પણ એ સ્ત્રીઓનો આશીર્વાદ મળ્યો છે. તેથી, પાકિસ્તાન કાન ખોલીને સાંભળે, તે સુખેથી રોટલો ખાય, નહીં તો મોદીની ગોળી ખાવી પડશે.
આ પણ વાંચો: PM મોદીનું ગાંધીનગરથી કોંગ્રેસ પર નિશાન: “સરદાર પટેલની વાત માની હોત તો…”
ઇન્ટરનેટ પર ટ્રેન્ડ
કચ્છમાં પીએમ મોદીને સિંદૂરનો છોડ ભેટમાં મળ્યા પછી લોકો ઇન્ટરનેટ પર તેના વિષે જાણવા ઉત્સુક છે અને તેના વિષે સર્ચ કરી રહ્યા છે. જાણીએ વિસ્તૃતમાં. સિંદૂરનો છોડ, જેને કેમેલીયા વૃક્ષ અથવા કુમકુમ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દક્ષિણ અમેરિકા અને કેટલાક એશિયન દેશોમાં જોવા મળે છે. આ છોડનું બોટાનિકલ નામ બિક્સા ઓરેલાના છે. તે ભારતમાં મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
આ છોડના ફળમાંથી સિંદૂર જેવો લાલ રંગ નીકળે છે, જે પાવડર અને પ્રવાહી સ્વરૂપમાં મળે છે. તેને સિંદૂરી, કપિલા, કમિલા, માલોટસ, ફિલિપીનેસિસ નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડના ફળના બીજને પીસીને કુદરતી સિંદૂર બનાવવામાં આવે છે. પીએમ મોદીએ રાજસ્થાનના બાડમેરમાં કહ્યું હતું કે હવે તેમની નસોમાં લોહી નહીં, સિંદૂર દોડી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ માનવતાને બચાવવા અને આતંકવાદનો અંત લાવવા માટે છે. ઇન્ટરનેટ પર, સિંદૂર પ્લાન્ટ એટલે કે કુમકુમ વૃક્ષની કિંમત 190 રૂપિયાથી 599 રૂપિયા સુધીની છે.
જો તમે ઘરે સિંદૂરનો છોડ ઉગાડવા માંગતા હો તો તેના બીજમાંથી છોડ તૈયાર કરી શકો છો. છોડને એવી જગ્યા પર રાખો જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ મળે. છોડને નિયમિત અંતરે પાણી આપો. છોડને સ્વસ્થ રાખવા માટે તેને ખાતર અને અન્ય પોષક તત્વો પણ આપો.