નેશનલ

ભારતમાં આપણે ટેલિકોમને ન માત્ર કનેક્ટિવિટીનું માધ્યમ બનાવ્યું છે, પરંતુ તેને સમાનતા અને તકનું માધ્યમ પણ બનાવ્યું છે: PM…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. શ્રી મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, સંચાર રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાની, આઇટીયુના સેક્રેટરી જનરલ ડોરેન બોગ્દાન-માર્ટિન, વિવિધ વિદેશી દેશોના મંત્રીઓ અને મહાનુભાવો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ટેલિકોમ નિષ્ણાતો, સ્ટાર્ટઅપ જગતના યુવાનો અને મહિલાઓ અને સજ્જનોને આવકાર આપ્યો હતો. આઇટીયુનાં મહાનુભવોને આવકારતા શ્રી મોદીએ પ્રથમ ડબલ્યુટીએસએ બેઠક માટે ભારતને પસંદ કરવા બદલ આભાર માન્યો હતો અને તેમની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે ટેલિકોમ અને તેની સાથે સંબંધિત ટેકનોલોજીની વાત આવે છે, ત્યારે ભારત સૌથી વધુ કામ કરતા દેશોમાંનો એક છે.” ભારતની ઉપલબ્ધિઓ ગણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારત વાસ્તવિક સમયમાં સંપૂર્ણ દુનિયાનાં 40 ટકાથી વધારે લોકોનાં મોબાઇલ ફોન યુઝર બેઝ 120 કરોડ કે 1200 મિલિયન, 95 કરોડ કે 950 મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ અને ડિજિટલ વ્યવહારો ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતે પ્રદર્શિત કર્યું હતું કે કેવી રીતે ડિજિટલ કનેક્ટિવિટી છેલ્લી માઇલ ડિલિવરી માટે અસરકારક સાધન બની ગઈ છે. તેમણે વૈશ્વિક ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ પર ચર્ચા કરવા અને ટેલિકોમ માટે વૈશ્વિક હિત તરીકે ભવિષ્ય પર ચર્ચા કરવા માટે ભારતને સ્થળ તરીકે પસંદ કરવા બદલ દરેકને અભિનંદન પાઠવ્યા હતા.

ડબલ્યુટીએસએ અને ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની સંયુક્ત સંસ્થાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડબલ્યુટીએસએનો ઉદ્દેશ વૈશ્વિક ધારાધોરણો પર કામ કરવાનો છે, ત્યારે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની ભૂમિકા સેવાઓ સાથે સંકળાયેલી છે. તેમણે કહ્યું હતું કે, આજની ઇવેન્ટ વૈશ્વિક ધારાધોરણો અને સેવાઓને એક જ મંચ પર લાવે છે. ગુણવત્તાયુક્ત સેવા અને ધારાધોરણો પર ભારતનું ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડબલ્યુટીએસએનો અનુભવ ભારતને નવી ઊર્જા પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ્યુટીએસએ સર્વસંમતિ મારફતે વિશ્વને સશક્ત બનાવે છે અને જ્યારે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કનેક્ટિવિટી મારફતે વિશ્વને મજબૂત કરે છે. એટલે શ્રી મોદીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં સર્વસંમતિ અને કનેક્ટિવિટી જોડાયેલી છે. તેમણે સંઘર્ષથી ઘેરાયેલી આજની દુનિયામાં સમન્વયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, ભારત વસુધૈવ કુટુમ્બકમનાં અમર સંદેશ મારફતે જીવી રહ્યું છે. તેમણે ભારતની અધ્યક્ષતામાં આયોજિત જી-20 શિખર સંમેલનનો ઉલ્લેખ કર્યો હતો અને ‘વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર’નો સંદેશો આપવાની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દુનિયાને સંઘર્ષમાંથી બહાર લાવવામાં અને તેને જોડવામાં વ્યસ્ત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રાચીન રેશમ માર્ગ હોય કે પછી આજનો ટેકનોલોજીનો માર્ગ, ભારતનું એકમાત્ર મિશન દુનિયાને જોડવાનું અને પ્રગતિનાં નવા દ્વાર ખોલવાનું છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આવી સ્થિતિમાં ડબલ્યુટીએસએ અને આઇએમસીની આ ભાગીદારી એક મહાન સંદેશ છે, જેમાં સ્થાનિક અને વૈશ્વિક જોડાણનો લાભ ફક્ત એક જ દેશને નહીં, પણ સમગ્ર વિશ્વને મળશે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, “21મી સદીમાં ભારતની મોબાઇલ અને ટેલિકોમ સફર સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોબાઇલ અને ટેલિકોમને સમગ્ર વિશ્વમાં એક સુવિધા તરીકે જોવામાં આવે છે, પણ ટેલિકોમ એ કનેક્ટિવિટીનું માધ્યમ હોવાની સાથે ભારતમાં ઇક્વિટી અને તકોનું માધ્યમ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અત્યારે ગામડાંઓ અને શહેરો, ધનિક અને ગરીબ વચ્ચેની ખાઈ દૂર કરવામાં ટેલિકોમ એક માધ્યમ તરીકે મદદ કરી રહ્યું છે. એક દાયકા અગાઉ ડિજિટલ ઇન્ડિયાના વિઝન પર પોતાની પ્રસ્તુતિને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે જણાવ્યું હતું કે, ભારતે પીસ-મીલ અભિગમની સામે સંપૂર્ણ અભિગમ સાથે આગળ વધવાનું છે. શ્રી મોદીએ ડિજિટલ ઇન્ડિયાનાં ચાર આધારસ્તંભ – ઓછી કિંમતનાં ઉપકરણો, દેશનાં દરેક ખૂણે-ખૂણે ડિજિટલ કનેક્ટિવિટીની વિસ્તૃત પહોંચ, સરળતાથી ઉપલબ્ધ ડેટા અને ‘ડિજિટલ ફર્સ્ટ’નાં લક્ષ્યાંકની યાદી આપી હતી, જેમને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં અને સાથે-સાથે કામ કરવામાં આવ્યાં હતાં, જેનાં સારાં પરિણામો મળ્યાં હતાં.

ટેલિકોમ ક્ષેત્રમાં સુધારા અંગે ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ ડેટાનો ખર્ચ ઘટાડવાના ભારતના પ્રયાસોની નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, વિશ્વના ઘણા દેશો કે જ્યાં એક જીબી ડેટા 10 થી 20 ગણો મોંઘો છે તેની તુલનામાં ભારતમાં ઇન્ટરનેટ ડેટાની કિંમત હવે 12 સેન્ટ પ્રતિ જીબી જેટલી ઓછી છે. તેમણે કહ્યું હતું કે, “આજે દરેક ભારતીય દર મહિને સરેરાશ 30 જીબી ડેટાનો વપરાશ કરે છે.”

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ પ્રકારનાં તમામ પ્રયાસોને ચોથા આધારસ્તંભ એટલે કે ડિજિટલ ફર્સ્ટની ભાવના દ્વારા નવા પાયા પર લઈ જવામાં આવ્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે ડિજિટલ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું હતું અને ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કર્યું હતું, જ્યાં આ પ્લેટફોર્મ પર નવીનતાઓએ લાખો નવી તકોનું સર્જન કર્યું હતું. શ્રી મોદીએ જેએએમ ટ્રિનિટી – જન ધન, આધાર અને મોબાઇલની પરિવર્તનકારી શક્તિ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, તેને અસંખ્ય નવીનતાઓનો પાયો નાંખ્યો છે. તેમણે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)નો ઉલ્લેખ કર્યો હતો, જેણે ઘણી કંપનીઓને નવી તકો પ્રદાન કરી છે અને ઓએનડીસી વિશે પણ વાત કરી હતી, જે ડિજિટલ વાણિજ્યમાં ક્રાંતિ લાવશે. પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારી દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકા તરફ ધ્યાન દોર્યું હતું, જે જરૂરિયાતમંદ લોકોને નાણાકીય હસ્તાંતરણ, માર્ગદર્શિકાના વાસ્તવિક સમય પર સંચાર, રસીકરણ અભિયાન અને ડિજિટલ રસીનાં પ્રમાણપત્રો સુપરત કરવા જેવી સાતત્યપૂર્ણ પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરે છે. ભારતની સફળતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે જાહેર માળખાગત સુવિધાનો ડિજિટલ અનુભવ વહેંચવા રાષ્ટ્રની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો ડિજિટલ કલગી દુનિયાભરમાં કલ્યાણકારી યોજનાઓને ઉન્નત કરી શકે છે, જે જી-20ની અધ્યક્ષતા દરમિયાન ભારતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશને તમામ દેશો સાથે તેનું ડીપીઆઈ જ્ઞાન વહેંચવાની ખુશી છે.

પ્રધાનમંત્રીએ હાલ ચાલી રહેલી ટેકનોલોજીકલ ક્રાંતિ માટે માનવ-કેન્દ્રિત પરિમાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જવાબદાર અને સ્થાયી નવીનતા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે નિર્ધારિત માપદંડો ભવિષ્યની દિશા નક્કી કરશે અને એ વાત પર ભાર મૂક્યો હતો કે, સુરક્ષા, સન્માન અને સમાનતાનાં સિદ્ધાંતો આપણી ચર્ચાનાં કેન્દ્રમાં હોવાં જોઈએ. તેમણે કહ્યું હતું કે, અમારું લક્ષ્ય એ હોવું જોઈએ કે આ ડિજિટલ પરિવર્તનમાં કોઈ પણ દેશ, કોઈ ક્ષેત્ર અને કોઈ સમુદાય પાછળ ન રહે અને સમાવેશ સાથે સંતુલિત નવીનતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભવિષ્ય તકનીકી રીતે મજબૂત તેમજ નવીનતા તેમજ સમાવેશન સાથે નૈતિક રીતે યોગ્ય છે તેની ખાતરી કરવા વિનંતી કરી. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ડબલ્યુટીએસએની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી અને સાથ-સહકાર પણ આપ્યો હતો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker