
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યોગદાનને ઉજાગર કરતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો હતો. આ વર્ષે વિજયાદશમીથી લઈને વર્ષ 2026 વિજયાદશમી સુધી તેનું શતાબ્દી વર્ષ ઉજવશે.
राष्ट्रीय स्वयंसेवक संघ की शताब्दी यात्रा के ऐतिहासिक अवसर पर माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी ने संघ की गौरवमयी सेवा व समर्पण को अमर स्मृति देने हेतु विशेष स्मारक डाक टिकट एवं स्मारक सिक्का का विमोचन किया।#RSS100 #RSSCentenary #RSS100Years pic.twitter.com/41ttsamjmp
— Ravi Nayyar (@ravinayyarbjp) October 1, 2025
ગુરુજીએ સહજતાનો પરિચય આપ્યો
પીએમ મોદીએ ડો. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે આરએસએસના સફર અંગે જણાવ્યું કે આ વર્ષો દરમિયાન સંઘને કચડી નાખવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા કાવતરાં રચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રાષ્ટ્ર સાધનાની યાત્રામાં તેને મુખ્ય ધારામાં આવતા રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરમપૂજ્ય ગુરુજીને અનેક ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેમને જેલમાં ઘકેલવા આવ્યા હતા. પરંતુ જેલમાંથી બહાર આવ્યા
બાદ તેમણે સહજતાનો પરિચય આપ્યો હતો.

સંઘનો લોકતંત્રમાં અડગ વિશ્વાસ
તેમણે વધુમાં જણાવ્યું કે, સંઘ વિશે એવું કહેવામાં આવે છે કે સામાન્ય લોકો અસાધારણ અને અભૂતપૂર્વ કાર્ય માટે એકત્ર થાય છે. આજે પણ આપણે સંઘની શાખાઓમાં વ્યક્તિત્વ વિકાસની આ સુંદર પ્રક્રિયાના સાક્ષી છીએ. સંઘ શાખાનું મેદાન પ્રેરણાની ભૂમિ છે. જ્યાં સ્વયંસેવકની અહંકારથી સ્વ તરફની યાત્રા શરૂ થાય છે. સંઘની શાખાઓ વ્યક્તિત્વ વિકાસની યજ્ઞ દેવી છે. રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ, વ્યક્તિત્વ વિકાસનો સ્પષ્ટ માર્ગ અને શાખાની સરળ અને જીવંત કાર્ય પદ્ધતિ. તેમજ સંઘનો લોકતંત્રમાં અડગ વિશ્વાસ છે.

પીએમ મોદીએ કહ્યું કે આ આપણું સૌભાગ્ય છે કે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનના શતાબ્દી વર્ષનાં સાક્ષી બની રહ્યા છીએ. તેમણે સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આપણ વાંચો: ભારતના અર્થતંત્રને મળ્યો વેગ! RBI રેપો રેટ યથાવત્ રાખ્યો, GDP ગ્રોથ માટે આપ્યું અનુમાન