નેશનલ

PM મોદીની UPના ભદોઈમાં રેલી, સપાની તુષ્ટીકરણની રાજનિતી પર કર્યા પ્રહાર

New Delhi: દેશમાં લોકસભા ચૂંટણીના 4 તબક્કા માટે મતદાન થઈ ચુક્યું છે, પાંચમાં તબક્કા માટે મતદાન 20મી મેના રોજ યોજાશે. આ દરમિયાન પીએમ મોદીએ ગુરૂવારે ઉત્તર પ્રદેશના ભદોઈમાં એક જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સપા સરકાર આતંકી સંગઠન સીમી પર મહેરબાન હતી.

પીએમ મોદીએ ટીએમસી અને સપાની તુષ્ટીકરણની રાજનિતીની પોલ ખોલતા કહ્યું કે બંને પાર્ટીને જોડનારી બાબત તુષ્ટીકરણ છે. તુષ્ટીકરણના આ ઠેકેદાર ભારતની ઓળખ બદલવા માંગે છે. તેમના આ ઈરાદાઓ ક્યારેય સફળ નહીં થાય, તેમને જવાબ આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે બીજેપીના કારણે જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું, બીજેપીના કારણે જ બનારસમાં બાબાનું ધામ તૈયાર થયું અને બીજેપીના કારણે જ મા વિદ્યાવાસિનીનું ધામ તૈયાર થયું.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભાજપે દિવસ-રાત એક કરીને યુપીની છબી બદલી છે. આજે યુપીની ઓળખ તેના એક્સપ્રેસ વેથી થાય છે. યુપીમાં 6 એક્સપ્રેસ વે છે, વધુ 5 નવા એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે. ભદોહીમાં બનારસથી હાંડિયા સુધી 6 લેન બનાવવામાં આવી ચુક્યા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભદોહી રિંગ રોડ ફેઝ 2નું કામ પણ ચાલી રહ્યું છે. ફિશ સિટીથી બનારસ સુધી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. 2017 સુધી યુપીમાં માત્ર 7 એરપોર્ટ હતા. આજે યુપીમાં 17 એરપોર્ટ છે. વધુ ત્રણ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેથી બનારસથી ભારત અને વિદેશમાં ઘણી ફ્લાઈટ્સ ઉડવાનું શરૂ થઈ ગઈ છે.

ભદોહીમાં રેલવે લાઈનો પણ બમણી થઈ ગઈ છે. પ્રથમ વખત ભદોહી સહિત સમગ્ર વિસ્તારમાં ચારેબાજુ વિકાસ જોવા મળી રહ્યો છે. અહીંના ખેડૂતો અને કાર્પેટ ઉદ્યોગને આ વિકાસ કાર્યોનો લાભ મળશે. ભદોહીના લોકોને એ જાણીને ગર્વ થશે કે જે નવી સંસદ ભવન બનાવવામાં આવી છે તેમાં ભદોહી કાર્પેટ પાથરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…