નેશનલ

ઈન્ડિગોની ફ્લાઈટમાં અંધાધૂંધી મચી ગઈ

પેસેન્જરે ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો

નવી દિલ્હીઃ દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરતા પ્લેનમાં અંધાધૂધી મચી ગઇ હતી. પેસેન્જરના આ કૃત્યને કારણે તેને એરપોર્ટ ઓથોરિટીને હવાલે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6341 દિલ્હીથી ચેન્નાઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

આ પછી પ્લેનમાં અંધાધૂંધી મચી ગઈ હતી. મુસાફરની ઓળખ મણિકંદન તરીકે થઈ છે. આરોપી મુસાફરને વધુ તપાસ માટે CISF અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. ઈન્ડિગો આ પેસેન્જર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવશે કારણ કે તેણે માત્ર પોતાનો જ નહીં પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો.


આ પહેલા પણ 8 જુલાઈના રોજ હૈદરાબાદથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં એક પેસેન્જરે ટેકઓફ દરમિયાન પ્લેનના ઈમરજન્સી ગેટનું કવર ખોલ્યું હતું. આ ફરિયાદ દિલ્હી એરપોર્ટ પર કરવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ પેસેન્જરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત