નેશનલ

સંસદનું સત્ર 24 જૂનથી ત્રીજી જુલાઈ સુધી

નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી ત્રીજી જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે, એમ સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું.

સત્રના પહેલા ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે, જેથી લોકસભામાં તેમનું સભ્યપદને માન્યતા મળે. આ ઉપરાંત સ્પીકરની ચૂંટણી કરાવવામાં આવશે.

રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને 27 જૂને સંબોધિત કરશે. તેમાં નવી સરકારના પાંચ વર્ષના કાર્યકાળનો રોડમેપ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : યુપી કેબિનેટે 41 પ્રસ્તાવો મંજૂર કર્યા, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ!

તેમણે કહ્યું હતું કે રાજ્યસભાનું 264મું સત્ર પણ 27 જૂનથી શરૂ થશે અને ત્રીજી જુલાઈએ તેનું સમાપન થશે. 27 જૂને રાષ્ટ્રપ્રમુખના સંબોધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનમંડળનો પરિચય સભ્યોને કરાવશે.

વડા પ્રધાનના ભાષણ પર અભિનંદનના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. વડા પ્રધાન ચર્ચા પર પોતાનો જવાબ આપશે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો