નેશનલ

NEET મુદ્દે મમતા બેનર્જીએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું રાજ્યને આપો પરીક્ષા લેવાનો અધિકાર

નવી દિલ્હી : દેશભરમાં નીટ(NEET)પરીક્ષામાં ગેરરીતિ અને પેપરલીકને લઈને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi)પત્ર લખીને નીટ(NEET)પરીક્ષા નાબૂદ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યને પોતાની પરીક્ષા લેવાનો અધિકાર હોવો જોઈએ. અગાઉ આ સિસ્ટમ હતી. પરંતુ તેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ કારણોસર, NTAની સ્થાપના કરવામાં આવી હતી

શું લખ્યું છે મમતા બેનર્જીના પત્રમાં ?

મમતા બેનર્જીએ લખ્યું, “આદરણીય વડા પ્રધાન, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષા સંબંધિત તાજેતરમાં પેપર લીક વિવાદ સામે આવ્યો છે. તેમજ પરીક્ષાના સંચાલનમાં ગેરરીતિ અને ગ્રેસ માર્કસ વગેરે કેટલાક ગંભીર મુદ્દાઓ છે. જેના પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે અને તેની સંપૂર્ણ, સ્વચ્છ અને નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે.

વર્ષ 2017 પૂર્વે રાજ્યોને તેમની પોતાની પ્રવેશ પરીક્ષાઓ લેવાની મંજૂરી આપવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે પણ તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પોતાની પરીક્ષાઓ યોજી હતી. સિસ્ટમ સરળતાથી અને કોઈપણ સમસ્યા વિના કામ કરી રહી હતી. તે પ્રાદેશિક અભ્યાસક્રમ અને શૈક્ષણિક ધોરણો સાથે સુસંગત હતું.

વિદ્યાર્થીઓ સૌથી વધુ ભોગ બને છે

રાજ્ય સરકાર સામાન્ય રીતે શિક્ષણ અને ઈન્ટર્નશીપ પાછળ ડોકટર દીઠ રૂ. 50 લાખથી વધુ ખર્ચ કરે છે. તેથી, રાજ્યને સંયુક્ત પ્રવેશ પરીક્ષા દ્વારા તબીબી વિદ્યાર્થીઓની પસંદગી કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. વધુમાં, વર્તમાન પ્રણાલીએ વ્યાપક ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે જેનો લાભ માત્ર પૈસા ચૂકવવા સક્ષમ અમીરોને જ મળે છે. જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ સૌથી વધુ ભોગ બને છે

તેથી, હું તમને રાજ્ય સરકારો દ્વારા આ પરીક્ષા યોજવાની અગાઉની પ્રણાલીને પુનઃસ્થાપિત કરવા અને NEET પરીક્ષાને નાબૂદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનું વિચારવા માટે ભારપૂર્વક વિનંતી કરું છું. આ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં અને રસ ધરાવતા વિદ્યાર્થીઓનો સિસ્ટમમાં વિશ્વાસ વધારવામાં મદદ કરશે.

NEET શા માટે શરૂ કરવામાં આવી?

ઉલ્લેખનીય છે કે, દેશમાં અગાઉ કેન્દ્ર સરકારની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે AIPMTનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, રાજ્યની સરકારી કોલેજોમાં પ્રવેશ માટે દરેક રાજ્યની અલગ પરીક્ષા હતી. આ સિસ્ટમમાં વિદ્યાર્થીઓએ સતત ઘણી પરીક્ષાઓ આપવી પડતી હતી.

આ મુશ્કેલીભર્યું હતું અને ફોર્મ ભરવાનો ખર્ચ પણ ઘણો વધારે હતો. આ હોવા છતાં, મોટાભાગના વિદ્યાર્થીઓ AIPMT સાથે માત્ર એક કે બે અન્ય રાજ્યોની પરીક્ષામાં હાજર રહી શક્યા હતા. ઘણી વખત વિદ્યાર્થીઓ એક જગ્યાએ એડમિશન લેતા હતા અને બાદમાં જ્યારે વધુ સારી તક મળે ત્યારે સીટ છોડી દેતા હતા.

જેના કારણે કેટલીક બેઠકો ખાલી રહી હતી. આને દૂર કરવા માટે NEET પરીક્ષા લાવવામાં આવી હતી. જેના દ્વારા તમામ કોલેજોમાં પ્રવેશ માટે એક જ ટેસ્ટ આપવાની થતી હતી, પરંતુ હવે તેમાં ગેરરીતિ સામે આવતા સવાલો ઉઠી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો