ટોપ ન્યૂઝનેશનલ

પહેલગામ હુમલામાં પતિની હત્યા કર્યા બાદ આતંકવાદીઓએ પત્નીને કહ્યું, “….જઈને મોદીને જાણ કરજે”

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કરેલા હુમલામાં ૨૮ જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ આતંકી હુમલાના મૃતકોમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અહેવાલો છે કે પ્રવાસીઓ પર 5 થી 6 આતંકવાદીઓએ હુમલો કર્યો હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હુમલાની માહિતી લીધી છે અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ કાશ્મીર પહોંચ્યા હતા અને હાલ તેની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.

આતંકી હુમલાની તસવીર પણ સામે આવી છે જે ખૂબ જ ભયાનક છે. આતંકી હુમલાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. આ દરમિયાન, એક પીડિતાનો એક વીડિયો સામે આવ્યો છે જે રૂંવાડા ઊભા કરનારા છે. કર્ણાટકના શિમોગાની રહેવાસી પલ્લવી, તેના પતિ મંજુનાથ અને પુત્ર પણ રજાઓ ગાળવા માટે પહેલગામ પહોંચ્યા હતા. પલ્લવીના પતિ મંજુનાથની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

હુમલા બાદ સ્થાનિકોએ કરી મદદ

હુમલાના ભયાનક દ્રશ્યને યાદ કરતાં પલ્લવીએ કહ્યું, ‘અમે ત્રણ લોકો – હું, મારા પતિ અને અમારો દીકરો કાશ્મીર ગયા હતા. મને લાગે છે કે હુમલો બપોરે 1:30 વાગ્યાની આસપાસ થયો હતો. અમે પહેલગામમાં હતા. મારી નજર સામે જ તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પલ્લવીએ કહ્યું કે તે હજુ પણ ખરાબ સપના જેવું લાગે છે. પલ્લવીએ જણાવ્યું કે હુમલા પછી તરત જ સ્થાનિક નાગરિકો તેની મદદ માટે આગળ આવ્યા અને ત્રણ સ્થાનિક લોકોએ તેનો જીવ બચાવ્યો.

પલ્લવીનો એક વીડિયો પણ વાયરલ

પલ્લવીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે અમે આજે સવારે પહેલગામ પહોંચ્યા અને ફરતા ફરતા બૈસરન ગયા હતા. પલ્લવીએ જણાવ્યું કે મેં મારા પતિને મારી નજર સામે જમીન પર પડતા જોયા. મને લાગ્યું કે હું કોઈ ખરાબ સ્વપ્ન જોઈ રહ્યો છું. પલ્લવીએ કહ્યું કે આતંકવાદીઓ ગોળીઓ ચલાવી રહ્યા હતા અને તેમની સંખ્યા લગભગ ચાર હતી.

જઈને મોદીને જાણ કરી દેજો
પલ્લવીએ કહ્યું કે મેં આતંકવાદીઓને કહ્યું કે હવે હું અહીં શું કરીશ, મને તો જીવતે જીવ જ મારી નાખી, હવે મને પણ મારી નાખો. આના પર એક આતંકવાદીએ કહ્યું, જાઓ, અમે તમને જીવતા છોડી દઈએ છીએ, જઈને મોદીને જાણ કરી દેજો.

કેરળ હાઈકોર્ટના ત્રણ જજ બચી ગયા
આ દરમિયાન કેરળ હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશો અને તેમના પરિવારો સાથે મંગળવારના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં માંડ માંડ બચી ગયા હતા, કારણ કે આ હુમલાના થોડા કલાકો પહેલા જ તેઓ આ વિસ્તારથી નીકળી ગયા હતા, જેમાં 28થી વધુ લોકોના મોત થયું હોવાના અહેવાલ છે.

આપણ વાંચો : કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button