ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ | મુંબઈ સમાચાર
નેશનલ

ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ

શેરડીના રસમાંથી ઈથેનોલ નહિ બનાવવા સૂચના

નવી દિલ્હી : સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો રહે એની તકેદારી લેવા અને ખાંડના ભાવને અંકુશમાં રાખવા સરકારે ગુરૂવારે બધી ખાંડ મિલો અને ડિસ્ટિલરીઝને ઈથેનોલનું ઉત્પાદન કરવા શેરડીના રસનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે.

જો કે અન્ન મંત્રાલયે બધી ખાંડ મિલો અને ડિસ્ટિલરીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવને લખેલા પત્રમાં કહ્યું હતું કે બી-હેવી મોલાસીસમાંથી ઈથેનોલ ઓઈલ માર્કેટિંગ કંપનીને આપવાનું ચાલુ રહેશે. ખાંડ (અંકુશ) હુકમ, ૧૯૫૬ના ક્લોઝ ચાર અને પાંચ હેઠળ મળેલી
સત્તા હેઠળ એવો આદેશ અપાય છે કે ખાંડની મિલો અને ડિસ્ટિલરીઝને ઈથોનોલ સપ્લાઈ વર્ષ ૨૦૨૩-૨૪થી ઈથેનોલ બનાવવા શેરડીનો રસનો કે ખાંડના સીરપનો ઉપયોગ નહીં કરે. બી-હેવી મોલાસીસમાંથી ઈથેનોલ ઓઈલ માર્કેટિંગ કંપનીને આપવાનું ચાલુ રહેશે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button