ટોપ ન્યૂઝનેશનલ

ભારતીય સેનાનો સપાટો: પાકિસ્તાન સાથે 4 દિવસના સંઘર્ષમાં 6 ફાઇટર જેટ્સ અને 30 મિસાઇલનો સફાયો…

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતીય સશસ્ત્ર દળો(Indian armed forces)એ હાથ ધરેલા ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા તણાવ અંગે સતત નવા ખુલાસા થઇ રહ્યા છે. એવામાં તાજેતરના અહેવાલ મુજબ ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારતે પાકિસ્તાનના છ ફાઇટર જેટ, બે હાઈ-વેલ્યુ સર્વેલન્સ એરક્રાફ્ટ, એક C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 30 થી વધુ મિસાઇલો અને કેટલાક અનમેન્ડ એરિયલ વેહિકલનો નાશ (Damage to Pakistan airforce) કર્યો હતો.

અહેવાલમાં સુત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે ઓપરેશનલ ડેટાના ટેકનિકલ વિશ્લેષણથી પુષ્ટિ થાય છે કે પાકિસ્તાન વાયુસેનાના છ ફાઇટર એરક્રાફ્ટને તોડી પાડવામાં આવ્યા હતા. સુદર્શન મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરીને લગભગ 300 કિલોમીટરના અંતરે ઇલેક્ટ્રોનિક વોરફેર અથવા એરબોર્ન અર્લી વોર્નિંગ અથવા કંટ્રોલ એરક્રાફ્ટને નિશાન બનવવામાં આવ્યું હતું.

ફાઇટર જેટનો નાશ:
અહેવાલમાં સુત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે ભોલારી એરબેઝ પર એર ટૂ સર્ફેસ ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા હુમલામાં સ્વીડિશ મૂળનું બીજું એક એરબોર્ન અર્લી વોર્નિંગ વિમાનનો નાશ આવ્યો હતો. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે તે સમયે હેંગરની અંદર ફાઇટર જેટ પણ હાજર હતા, સૂત્રોએ જણાવ્યું હતું કે આ નુકસાનની ગણતરી કરવામાં આવી નથી કારણ કે પાકિસ્તાને હજુ સુધી આ સ્થળો પરથી કાટમાળ સાફ કર્યો નથી.

ભારતીય વાયુસેનાની મિસાઇલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાની ફાઇટર જેટ રડાર પરથી ગાયબ થઈ ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રમાં ભારતીય ડ્રોન હુમલા દરમિયાન પાકિસ્તાન વાયુસેનાનું એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાન પણ નાશ પામ્યું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ભારતીય દળોએ પાકિસ્તાની ઠેકાણાઓ પર હુમલો કરવા માટે મુખ્યત્વે એર ટૂ સર્ફેસ ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. આ ઓપરેશનમાં સર્ફેસ લોન્ચ્ડ બ્રહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

ચીની મૂળના ડ્રોનનો નાશ:
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ અને Su-30 ફાઇટર જેટ દ્વારા હેંગર પર કરવામાં આવેલા હુમલાઓમાં ચીની મૂળના વિંગ લૂંગ ડ્રોનનો મોટી સંખ્યાનો નાશ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ સંઘર્ષ દરમિયાન ઇન્ડિયન એર ડિફેન્સ સિસ્ટમે 10 થી વધુ અનમેન્ડ એરિયલ વેહિકલને પણ તોડી પાડ્યા હતાં. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન દ્વારા ભારતીય એર બેઝ પર છોડવામાં આવેલી ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોને પણ તોડી પાડી હતી.

આપણ વાંચો : ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button